અરબી સમુદ્રમાં સક્રિય થયેલા વાવાઝોડા બિપરજોય અંગે ગુજરાતના હવાામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે અને ત્રણ જિલ્લામાં રેડ એલર્ટ આપ્યું છે. બિપરજોય વાવાઝોડું કચ્છના દરિયાકાંઠે ટકરાય તેવી સંભાવના છે. વાવાઝોડાનો માર્ગ ફરી બદલાતાં કચ્છ અને ગુજરાત માટે ચિંતાનું પ્રમાણ વધ્યું છે. ત્યારે હવામાન વિભાગે તારીખ 15 જૂનને લઈ પવન અને વરસાદને લઈ ત્રણ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે.
— IMD Ahmedbad (@IMDAHMEDABAD) June 11, 2023
— IMD Ahmedbad (@IMDAHMEDABAD) June 11, 2023
— IMD Ahmedbad (@IMDAHMEDABAD) June 11, 2023
— IMD Ahmedbad (@IMDAHMEDABAD) June 11, 2023
વરસાદનું જોર રહેવાની સંભાવના
તારીખ 11, 12 અને 13 જૂનના રોજ કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિદ્વારકા, રાજકોટ, પોરબંદર, મોરબી, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ અને સુરેન્દ્રનગરમાં પવનની ગતિ 30-40 કિમી રહેશે તેવી પણ આગાહી કરવામાં આવી છે. ઉપરાંત તારીખ 15 જૂનના રોજ વરસાદનું પૂર્વાનુમાનમાં રાજ્યના તમામ સ્થળોએ વરસાદનું જોર રહેશે તેવી પણ આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો
રાજ્યના ત્રણ જિલ્લામાં રેડ એલર્ટ
તારીખ 15 અને 16 જૂને પવનની ગતિ અને વરસાદને જોતા હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટમાં જાહેર કરવામાં આવ્યા છે. કચ્છ, જામનગર અને દ્વારકામાં વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ 15 જૂનના રોજ કચ્છ, મોરબી, જામનગર, દ્વારકામાં પવનની ગતિ 125 થી 135 કિમી રહેશે સંભાવના છે. જ્યારે રાજકોટ, પોરબંદર, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગરમાં 50-60 કિમી પવન રહેશે તેવી ગુજરાત હવામાન વિભાગે આગાહી કરી છે.