18 જૂનથી સમુદ્રમાં ગુમ થયેલી પેસેન્જર સબમરીન ટાઇટનમાં સવાર તમામ લોકોના મોત થયા છે. ટાઇટેનિકના કાટમાળને દર્શાવતી સબમરીન સાથે તમામ ગુમ થયેલા મુસાફરોને મૃત જાહેર કરવામાં આવ્યા છે.
કાટમાળ મળ્યા બાદ અધિકારીઓએ વિસ્ફોટની આશંકા વ્યક્ત કરી હતી. સબમર્સિબલનું સંચાલન કરતી કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેઓ હવે માને છે કે ગુમ થયેલ ટાઇટન સબમરીન પર સવાર તમામ પાંચ લોકો મૃત્યુ પામ્યા છે.
સર્ચ ઓપરેશનમાં સામેલ રિમોટલી ઓપરેટેડ વ્હીકલ (ROV) ને ટાઇટેનિક જહાજ પાસે કાટમાળનો ઢગલો મળ્યો હોવાની પુષ્ટિ થયાના કલાકો બાદ આ સમાચાર આવ્યા છે. જો કે, આ કાટમાળ ટાઇટનનો છે કે નહીં તે અંગે હજુ સુધી કોઈ માહિતી આપવામાં આવી નથી.
સબમરીન પર બ્રિટિશ અબજોપતિ બિઝનેસમેન હેમિશ હાર્ડિંગ, 48 વર્ષીય પાકિસ્તાની બિઝનેસમેન શહજાદા દાઉદ અને તેનો 19 વર્ષીય પુત્ર સુલેમાન દાઉદ, ફ્રેન્ચ એક્સપ્લોરર પોલ હેનરી નરગેલેટ અને ઓસેનગેટના સીઈઓ સ્ટોકટન રશ પણ હાજર હતા. ઓપરેશનનું નેતૃત્વ કરી રહેલા કેપ્ટને કહ્યું કે તેને ખબર નથી કે તે લોકો ક્યાં છે. બુધવારે, ટાઇટેનિકના કાટમાળ નજીકથી રેકોર્ડ થયેલા અવાજોના આધારે શોધનો વ્યાપ વધારવામાં આવ્યો છે. 25,000 ચોરસ કિલોમીટરથી મોટા વિસ્તારમાં તેની શોધ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો
પ્રધાનમંત્રી મોદીનું વ્હાઇટ હાઉસમાં જોરદાર સ્વાગત, બાઈડન હૃદય સ્પર્શી વાત કરી
PM નરેન્દ્ર મોદીના ખાનગી ડિનરનું મેનુ કાર્ડ વાયરલ, વરસાદ વચ્ચે વોશિંગ્ટન પહોંચ્યા, જાણો આજે શું કાર્યક્રમો છે
વડાપ્રધાન મોદીએ ન્યૂયોર્કમાં UN હેડક્વાર્ટરમાં યોગ કર્યા, નોંધાવ્યો અનોખો વર્લ્ડ રેકોર્ડ
સંપર્ક ગુમાવવાના સમયે, ટાઇટન પાસે લગભગ 96 કલાક ઓક્સિજન બાકી હતો. નિષ્ણાતો કહે છે કે 96 કલાક પૂરા કરવામાં ઘણો સમય વીતી ગયો છે. અત્યાર સુધીમાં ઓક્સિજન ખતમ થઈ ગયો હશે. આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે જહાજમાં સવાર પાંચ પ્રવાસીઓના બચવાની સંભાવના પણ સમાપ્ત થઈ ગઈ છે. ઓશનગેટમાં રોકાણ કરનારા રોકાણકાર એરોન ન્યુમેને દાવો કર્યો હતો કે ટાઇટન સબમરીનને એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે તે 24 કલાક પછી સપાટી પર પાછી આવી જાય. પરંતુ લગભગ 4 દિવસ વીતી જવા છતાં પણ સબમરીનનો ક્યાંય પત્તો લાગ્યો નથી.