Gujarati News:આમ જોવા જઈએ તો ગુજરાતમાં 1 ઓગસ્ટથી જ વરસાદે વિરામ લીધો છે અને ત્યાર બાદ ભેજવાળું વાતાવરણ રહે છે. આ સાથે તાપમાન ઊંચુ આવી રહ્યુ છે. ભેજ અને ઊંચા તાપમાનના કારણે બફારાનો અહેસાસ થાય છે. હવે અંબાલાલ પટેલે કહ્યુ છે કે 13 સપ્ટેમ્બરથી ગરમીનું પ્રમાણ વધશે.
પરંતુ આ સાથે જ અંબાલાલ પટેલે વાત કરી કે 31 ઓગસ્ટ આસપાસ હોંગકોગ બાજુ બનતુ ચક્રવાત બંગાળના ઉપસાગરનો ભેજ ખેંચશે. અરબ સાગર અને બંગાળના ઉપસાગરનો ભેજ ખેંચી લેશે. જેના કારણે ભારતના ચોમાસાને નબળું કરતું જણાશે.
અંબાલાલ પટેલે વાવાઝોડા વિશે વાત કરી કે આ સાથે ચક્રવાત 3થી 4 સપ્ટેમ્બરમાં બંગાળની ખાડીમાં આવીને લો પ્રેશર સર્જાવવાની શક્યતા રહેશે. પશ્ચિમ પ્રશાંત મહાસાગરમાંથી આવતા સ્ટોર્મ ભારતના હવામાનને પ્રભાવિત કરે તો કોઈ નવાઈ નહીં. ગુજરાતમાં સામાન્ય, મધ્યમ કે ભારે વરસાદી ઝાપટા પડશે. પરંતુ ભારે વરસાદની શક્યતા નહીવત છે.
હાલમાં વરસાદ આપે એવી કોઈ સિસ્ટમની શક્યતાઓ ઓગસ્ટના અંત સુધીમાં તો દેખાઈ રહી નથી. હાલ ગુજરાતમાં વરસાદની સિસ્ટમ સક્રિય નથી, માત્ર લોકલ સિસ્ટમના કારણે વરસાદી ઝાપટા થવાની શક્યતા છે.
30,000 કરોડ સ્વાહા… મુકેશ અંબાણીની કંપનીએ અણધાર્યું નુકસાન કર્યું, જાણો કેમ આટલો મસમોટો ખાડો પડ્યો??
એક દિવસના જ વધારા બાદ આજે ફરીથી સોનાના ભાવમાં મોટો ઘટાડો, ખરીદનારા કૂદકા મારવા લાગ્યાં
જોકે હવામાન વિભાગે લાંબા ગાળાનુ પૂર્વાનુમાનમાં પહેલા જ જાહેર કર્યુ હતુ કે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં સામાન્ય કરતા ઓછો વરસાદ રહેવાનો છે. હાલની સ્થિતિ જોતા લાગે છે કે ઓગસ્ટ મહિનાનુ પૂર્વાનુમાન સાચું પડ્યું છે.