Gujarat news: અંબાલાલ પટેલે વરસાદને લઈ લોકો માટે એક રાહતની આગાહી કરી છે. તેઓ વાત કરતાં જણાવે છે કે, પૂર્વ-પશ્ચિમ મહાસાગરમાં જળવાયું ગરમ થવાના કારણે ઓગસ્ટમાં કોઈ જ વરસાદ થવાની સંભાવનાઓ નથી, પરંતુ હવે ધીરે-ધીરે સંજોગો સકારાત્મક બની રહ્યા છે.
હિન્દ મહાસાગરનું હવામાન પણ સાનુકૂળ થશે. પૂર્વના દેશોમાં બનેલા ટ્રોપિકલ સ્ટોર્મના કારણે અરબ સાગરમાં બનેલો ભેજ ખેંચાઈ જાય છે. લગભગ 28-29 તારીખમાં આ ભેજ ખેંચાશે અને 30-31માં સિસ્ટમ્સ ધીમે-ધીમે મંદ પણ પડી જશે. પછી 4-5 સપ્ટેમ્બરમાં બંગાળના ઉપસાગરમાં તેના અવશેષરૂપી ગતિવિધિમાં વધારો થશે.
અંબાલાલે આ રીતે કહ્યું કે બંગાળના ઉપસાગરમાં હવાના હળવા દબાણ ઉભા થશે. વેલમાર્ક લો પ્રેશર બનશે અને જે ગતિવિધિના કારણે દેશના દક્ષિણપૂર્વના તટિય ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ છે. આ દરમિયાન દક્ષિણ ભારતના ભાગો, મહારાષ્ટ્ર, ઓરિસા, પૂર્વ રાજસ્થાન, પૂર્વ ઉત્તરપ્રદેશના ભાગોમાં વરસાદ પડશે. અંબાલાલ પટેલે ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરી છે કે સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં હવામાનમાં ફેરફાર થશે અને બીજા અઠવાડિયે વરસાદ થવાની શક્યતાઓ છે.
16 સપ્ટેમ્બર સુધી આ લોકો રાત-દિવસ પૈસા જ છાપશે, બુધાદિત્ય રાજયોગ 3 રાશિને બનાવશે કરોડપતિ!
બહેનો પહેલા આ 4 દેવતાઓને રાખડી બાંધો પછી ભાઈને બાંધો, આજીવન એટલી કૃપા રહેશે કે રાજા જેવું જીવન જીવશે
ગુજરાતમાં ક્યા ભાગોમાં વરસાદ પડશે એ વિશે અંબાલાલ પટેલે વાત કરી કે ઉત્તર ગુજરાત, પંચમહાલના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, કચ્છના કેટલાક ભાગો, સૌરાષ્ટ્રના કેટલાક ભાગોનો સમાવેશ થાય છે. તારીખ 13 અને 14 સપ્ટેમ્બરમાં અરબ સાગરમાં હવાનું હળવું દબાણ ઉભું થવાની શક્યતાઓ રહેશે, અરબ સાગર અને બંગાળના ઉપસાગર સક્રિય થવાથી પહેલા અઠવાડિયામાં હવામાનમાં પલટો આવી શકે છે, જ્યારે બીજા અઠવાડિયામાં સારો વરસાદ થવાની શક્યતાઓ છે.