સોમવારે તુર્કી અને સીરિયામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.8 હતી. દક્ષિણપૂર્વ તુર્કી અને સીરિયામાં ભૂકંપના કારણે ભારે નુકસાન થયાના અહેવાલ છે. બંને દેશોમાં ઘણી જગ્યાએ સેંકડો ઈમારતો ધરાશાયી થઈ છે. તુર્કીમાં અત્યાર સુધીમાં 76 લોકો માર્યા ગયા છે જ્યારે સીરિયામાં 42 લોકો માર્યા ગયા છે. મૃત્યુઆંક હજુ વધવાની આશંકા છે. કુલ 195 લોકોના મોતનું કહેવામાં આવી રહ્યું છે.
ભૂકંપનું કેન્દ્ર તુર્કીના ગાઝિયાંટેપમાં હતું. તે સીરિયા બોર્ડરથી 90 કિમી દૂર સ્થિત છે. આવી સ્થિતિમાં સીરિયાના ઘણા શહેરોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે સરહદની બંને બાજુ ભારે વિનાશ થયો છે. જણાવવામાં આવી રહ્યું છે કે સ્થાનિક સમય અનુસાર તુર્કીમાં ભૂકંપ સવારે 4.17 કલાકે આવ્યો હતો. તેની ઊંડાઈ જમીનની અંદર 17.9 કિલોમીટર હતી. ભૂકંપનું કેન્દ્ર ગાજિયનટેપ નજીક હતું. ભૂકંપના જોરદાર આંચકામાં ઘણી ઇમારતો ધરાશાયી થઈ ગઈ હતી. તુર્કીના ઓસ્માનિયામાં 34 ઈમારતો ધ્વસ્ત થઈ ગઈ.
તુર્કીના રાષ્ટ્રપતિ રજબ તૈયબ એર્દુગને ટ્વીટ કરીને જણાવ્યું કે ભૂકંપ પ્રભાવિત વિસ્તારોમાં બચાવ કામગીરી ચાલી રહી છે. ભૂકંપ દરમિયાન ઓછામાં ઓછા 6 આફ્ટરશોક આવ્યા હતા. એર્દુગને લોકોને નુકસાન પામેલી ઈમારતોમાં ન પ્રવેશવાની અપીલ કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે સીરિયાના લેબનોનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સીરિયાના અલેપ્પો અને હમા શહેરમાંથી નુકસાનના અહેવાલો છે. સિવિલ ડિફેન્સ અનુસાર, સીરિયામાં તુર્કીની સરહદે આવેલા વિસ્તારોમાં ઘણી ઇમારતો ધરાશાયી થઈ છે.
લાખો ગુજરાતીઓને હાલાકી, ગુજરાતમાં 400થી વધુ CNG પંપ ધારકો હડતાળ પર, જાણો એવો તો શું મોટો વાંધો પડ્યો
Breaking: તુર્કી-સીરિયામાં ભૂકંપથી મૃત્યુઆંક 195 થયો, બંને દેશોમાં ચારેકોર તબાહી જ તબાહી
દમાસ્કસમાં પણ ભૂકંપના આંચકા બાદ લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. લેબનોનમાં લગભગ 40 સેકન્ડ સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તુર્કીની ભૌગોલિક સ્થિતિને કારણે અહીં વારંવાર ભૂકંપ આવે છે. અહીં 1999માં આવેલા ભૂકંપમાં 18000 લોકોના મોત થયા હતા. ઓક્ટોબર 2011માં આવેલા ભૂકંપમાં 600થી વધુ લોકોના મોત થયા હતા.