અતીક અને તેના ભાઈની હત્યા બાદ યુપીના તમામ જિલ્લામાં કલમ-144 લાગુ કરી દેવામાં આવી છે. પોલીસે લખનઉના હુસૈનાબાદમાં ફ્લેગ માર્ચ કાઢી. પ્રયાગરાજમાં અતીક અને તેના ભાઈની હત્યા બાદ પોલીસ સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી રહી છે. આ દરમિયાન પ્રયાગરાજના કરબલા, ચાકિયા, રાજરૂપપુર અને કેસરિયા વિસ્તારમાં પથ્થરમારાના અહેવાલો સામે આવ્યા છે. તેનો વીડિયો પણ સામે આવ્યો છે. જો કે આ અંગે વધુ માહિતી મળી નથી. પ્રયાગરાજમાં ઈન્ટરનેટ બંધ છે.
પોલીસ અધિકારીએ આ માહિતી આપી
એક પોલીસ અધિકારીએ કહ્યું, ‘અમે ઘટનાની તપાસ કરી રહ્યા છીએ. અત્યારે કંઈપણ કહેવું વહેલું છે. પકડાયેલા લોકોની હજુ પૂછપરછ કરવાની બાકી છે. આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ (એસીપી) કારેલી શ્વેતાભ પાંડેએ જણાવ્યું કે આ ઘટના ત્યારે બની જ્યારે અતીક અને અશરફને નિયમિત તપાસ માટે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. તેમણે એમ પણ જણાવ્યું કે ત્રણેય આરોપીઓ ઝડપાઈ ગયા છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. જોકે, તેમણે અન્ય કોઈ વિગતો આપી ન હતી. પોલીસના જણાવ્યા અનુસાર ઘટનાસ્થળે ત્રણ પિસ્તોલ, એક મોટરસાઇકલ, એક વીડિયો કેમેરા અને એક ન્યૂઝ ચેનલનો લોગો પડ્યો હતો. એવી શંકા છે કે ત્રણેય હુમલાખોરો મીડિયા પર્સન તરીકે આવ્યા હતા અને આ ઘટનાને અંજામ આપ્યો હતો. તેણે પોતાનું ઓળખ પત્ર પણ ગળામાં લટકાવી દીધું હતું.
મુખ્યમંત્રીએ ત્રણ સભ્યોની ન્યાયિક સમિતિની રચના કરી
વિચારતા રહેશો તો રહી જશો, સાવ સસ્તો મળી રહ્યો છે iPhone, ભાવ સાંભળીને લોકોની લાંબી લાઈન લાગી
બધા રેકોર્ડ તોડી નાખ્યાં! સોનાની કિંમત સાંભળીને જરાય ચોંકી ના જતા, એક તોલાના આટલા હજાર આપવા પડશે
સલમાનના સેટ પર કોઈ નિયમ નથી… નિવેદન આપતા તો અપાઈ ગયું પણ હવે પલકને ભીંસ પડતા પલટી મારી ગઈ
અગાઉ, ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ત્રણ સભ્યોના ન્યાયિક પંચની જાહેરાત કરી છે, જે શનિવારે રાત્રે પોલીસ અને મીડિયાની હાજરીમાં ગેંગસ્ટરમાંથી રાજકારણી બનેલા અતિક અહેમદ અને તેના ભાઈ અશરફની હત્યાની તપાસ કરશે. રાજ્યને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યું છે અને મુખ્ય સચિવ ગૃહ સંજય પ્રસાદની આગેવાની હેઠળ વરિષ્ઠ અધિકારીઓ પરિસ્થિતિ પર નજર રાખવા પ્રયાગરાજ જઈ રહ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે અતીક અને તેના ભાઈની સુરક્ષામાં તૈનાત 17 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.