રથયાત્રા પુર્વે હર્ષ સંઘવીએ જગન્નાથજી મંદિરે દર્શન કરી સુરક્ષાની સમીક્ષા કરી, 25,000 અધિકારીઓ સ્ટેન્ડ બાય રહેશે

Lok Patrika
By Lok Patrika
Share this Article

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની ૧૪૬મી રથયાત્રા પહેલા ગૃહરાજ્ય મંત્રી  હર્ષ સંઘવી ભગવાન જગન્નાથજીના દર્શનાર્થે પહોંચ્યા હતા. સૌપ્રથમ મંદિરમાં દર્શન કરીને હર્ષ સંઘવીએ મંદિરના મહંત તેમજ ટ્રસ્ટના પદાધિકારીઓ અને અન્ય આગેવાનો સાથે બેઠક કરી હતી. ત્યારબાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓના કાફલા સાથે હર્ષ સંઘવી ૧૬ કિલોમીટરના સમગ્ર રૂટની સમીક્ષા કરવા માટે રવાના થયા.

જગન્નાથ મંદિરથી શરૂ થયેલી આ સમીક્ષા યાત્રા રથયાત્રાના રૂટના એક બાદ એક પડાવો પસાર કરતી આગળ વધી હતી. રૂટ પર આવતા અનેક ચોક, પોળના નાકાઓ, ધાર્મિક સ્થળો પર સૌહાર્દપૂર્ણ વાતાવરણના દૃશ્યો જોવા મળ્યા હતા. જ્યાં જ્યાંથી પોલીસ કાફલો પસાર થયો ત્યાં ઘર, દુકાન અને ચાર રસ્તાઓ પર “કોમી એકતા ઝીંદાબાદ”, “ભારત માતા કી જય”, “વંદે માતરમ”, “જય રણછોડ, માખણચોર”ના નારા લગાવવામાં આવ્યા હતા. જેનાથી આખોય રુટ પર ભક્તિમય માહોલ બની ગયો હતો.

રથયાત્રાના મહત્ત્વના પડાવ એવા તંબુ ચોકીમાં સામાજિક આગેવાનોએ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીનું શાલ ઓઢાડી સન્માન કર્યું.

ઉલ્લેખનીય છે કે, રથયાત્રાના બંદોબસ્તમાં વિવિધ રેન્કના ૨૫,૦૦૦થી વધુ સુરક્ષા જવાનો જોડાયા છે. જેમાં ૧૧ આઇજી કક્ષાના, ૫૦ એસપી, ૧૦૦ ડીવાયએસપી, ૩૦૦થી વધુ પીઆઇ, ૮૦૦ પીએસઆઇ, ૩૫ કંપની એસઆરપી/સીઆરપીએફ, છ હજાર હોમગાર્ડ મળી કુલ ૨૫ હજારથી વધુ જવાનો સુરક્ષાનો મોરચો સાંભળશે.

સમગ્ર બંદોબસ્તમાં સેન્ટ્રલ પોલીસ, રાજ્ય પોલીસ, નજીકના જિલ્લા અને શહેર પોલીસના જવાનો બંદોબસ્તમાં જોડાશે. અમદાવાદ પોલીસ કમિશનર સહિત સમગ્ર પોલીસ ટીમે રિહર્સલ કર્યું છે. ૧૫થી વધુ વિભાગો સાથેનો આ મેગા બંદોબસ્ત રાષ્ટ્રીય સ્તરે દાખલારૂપ છે.

આ પણ  વાંચો

PHOTOS: બિપરજોય સામે પાકિસ્તાનની તૈયારીઓ! જનતા હાથમાં કટોરો લઈને ભીખ માંગતી જોવા મળી હતી

બિપરજોયથી થોડી-થોડી અસર હજુ પણ ગુજરાતમાં બાકી, આટલા જિલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, જાણો નવી આગાહી

આ છે વિશ્વનું સૌથી જૂનું રણ, જ્યાં હજુ પણ ભગવાનના પગના નિશાન છે! ભલભલા વૈજ્ઞાનિકો પણ સંશોધનમાં પાછા પડ્યાં

ભગવાન જગન્નાથજીની રથયાત્રા જે વિસ્તારોમાંથી પસાર થનાર છે એ તમામ સ્થળો પર સલામતીલક્ષી ૩૬૦ ડિગ્રી સમીક્ષા કરવામાં આવી હતી. આમ, રથયાત્રા પહેલાની આ ‘સલામતી યાત્રા’ ભાવિક ભક્તો અને રહીશો માટે ઉત્સાહવર્ધક બની રહી હતી.

વિવેક – પ્રદેશ માહિતી કચેરી, અમદાવાદ


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly