એક દુખદ સમાચાર સામે આવી રહ્યા છે. વલસાડ જિલ્લાના સરીગામ જીઆઈડીસીમાં એક કંપનીમાં બ્લાસ્ટ થતા બે લોકોના મોત થયા છે. જ્યારે બે લોકો ઘાયલ થયા છે. આ ઘટના સોમવારે રાત્રે 11 વાગ્યાની આસપાસ બની હતી. સ્થળ પર સવારથી ફરી એકવાર રાહત અને બચાવ કાર્ય શરૂ કરવાની તૈયારી છે.
વલસાડના એસપી વિજયસિંહ ગુર્જરના જણાવ્યા મુજબ સરીગામ જીઆઈડીસીમાં આવેલી વેન પેટ્રો કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ થયો હતો, જેના કારણે આગ ફાટી નીકળી હતી. આ ઘટનાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. 2 ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 2 મૃતદેહો મળી આવ્યા છે.
જોકે, મૃતદેહોની ઓળખ થઈ શકી નથી. સવારે ફરીથી બચાવ કામગીરી શરૂ કરવામાં આવ્યું. પોલીસે જણાવ્યું હતું કે રાત્રિના કારણે બચાવ કામગીરી અટકાવી દેવામાં આવી હતી. મૃતદેહોની ઓળખ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.