World News: પાકિસ્તાની સેનાએ હવે ઈરાનના હુમલાનો જવાબ આપ્યો છે. અહેવાલ છે કે પાકિસ્તાનની સરહદે આવેલા સિસ્તાન અને બલુચિસ્તાન પ્રાંતમાં લગભગ 20 માઈલ દૂર પૂર્વી ઈરાનના સરવાન શહેરની નજીક પાકિસ્તાની વાયુસેનાએ બલૂચ આતંકવાદી જૂથ પર અનેક હવાઈ હુમલા કર્યા છે.
પાકિસ્તાની મીડિયામાં આ માહિતી આપતા જણાવવામાં આવ્યું હતું કે આ હુમલા બાદ આતંકીઓના ઠેકાણા પર જોરદાર આગ ફાટી નીકળી હતી, જેના કારણે આસપાસના વિસ્તારમાં ઘણો ધુમાડો ફેલાઈ ગયો હતો. જો કે ઈરાન તરફથી આ હુમલાની કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી.
તમારા ઘરના મંદિરમાં ‘રામ દરબાર’ છે? જો નથી તો આજે જ સજાવો, એક તસવીરથી થાય છે અકલ્પનીય લાભ!
પાકિસ્તાની ન્યૂઝ વેબસાઈટ પાકિસ્તાન ડેઈલી અનુસાર, પાકિસ્તાને ઈરાનમાં બલૂચ લિબરેશન આર્મી અને બલૂચ લિબરેશન ફ્રન્ટના ઠેકાણાઓને નિશાન બનાવ્યા. તેણે આ હવાઈ હુમલા પછી પાકિસ્તાની વાયુસેનાના કથિત ફૂટેજ પણ જાહેર કર્યા છે, જેમાં ત્યાં એક મોટો ખાડો દેખાઈ રહ્યો છે. વીડિયોમાં ઘણા લોકો ટોર્ચ લઈને ઘટનાસ્થળે ઉભા જોવા મળે છે.