BIG BREAKING: કારમી હાર બાદ AAP ગુજરાતમાં મોટા ફેરફાર, ઈશુદાન અને ગોપાલ ઈટાલિયા બન્નેને પદ પરથી હટાવી દીધા!

Lok Patrika
By Lok Patrika
Share this Article

આમ આદમી પાર્ટીએ ગુજરાત પ્રદેશાધ્યક્ષ તરીકે ગોપાલ ઈટાલિયાને હટાવી દીધા છે અને તેમને નેશનલ જોઈન્ટ સેક્રેટરી અને મહારાષ્ટ્રના સહ પ્રભારી બનાવાયા છે. તો વળી પાર્ટીએ કરેલા સંગઠનમાં ફેરફાર અનુસાર, ગોપાલ ઈટાલિયાને બદલે હવે ઈશુદાન ગઢવીને ગુજરાત પ્રદેશાધ્યક્ષ બનાવ્યાં છે. આમ આદમી પાર્ટીએ દિલ્હીથી એક પ્રેસ રિલિઝ કરીને આ વાતની જાણકારી આપી હતી. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કારમા પરાજય બાદ આમ આદમી પાર્ટીએ પ્રદેશ સંગઠનમાં મોટા ફેરફાર હવે રાજકારણમાં મોટી ચર્ચાનો વિષય બન્યો છે.

આ સાથે જ વાત જાણવા મળી રહી છે કે આમ આદમી પાર્ટીએ ગુજરાતના અલગ અલગ ઝોનના સ્ટેટ પ્રેસિડન્ટ જાહેર કરી નાખ્યા છે. એ અનુસાર જોવા મળી રહ્યું છે કે અલ્પેશ કથિરિયાને સુરત ઝોનના, ચૈતર વસાવાને સાઉથ ગુજરાત ઝોન, ડો.રમેશ પટેલને નોર્થ ગુજરાત ઝોન, જગમલ વાળાને સૌરાષ્ટ્ર ઝોન તથા કૈલાશ ગઢવીને કચ્છ ઝોનના કાર્યકારી અધ્યક્ષ બનાવાયા છે.

ગુજરાતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ તમામ પ્રયાસો લગાવી દીધા હતા. પાર્ટીને ગુજરાતમાં માત્ર પાંચ બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો. AAPના મોટા નેતાઓએ ગુજરાતમાં રેલીઓ યોજી હતી. જેમાં દિલ્હીના મુખ્યમંત્રી અને AAP પ્રમુખ અરવિંદ કેજરીવાલ, પંજાબના સીએમ ભગવંત માન જેવા નેતાઓ સામેલ હતા.

ચૂંટણીમાં ઇસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયાનું પ્રદર્શન કેવું રહ્યું

ખંભાલીયા બેઠક પર ભાજપના ઉમેદવાર ઇસુદાન ગઢવીને 18 હજારથી વધુ મતોથી હરાવ્યા હતા. AAP પ્રમુખ ગોપાલ ઈટાલયાને કતારગામ મતવિસ્તારમાંથી AAPના ઉમેદવાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, તેઓને ભાજપના વિનોદભાઈ મોરડિયાએ હરાવ્યા હતા. મોરાડિયાને 1 લાખ 20 હજાર 42 વોટ મળ્યા જ્યારે ઈટાલિયાને 55 હજાર 639 વોટ મળ્યા.

આ વખતે ગુજરાત પરિણામોની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીએ રેકોર્ડ બનાવ્યો છે. આ ચૂંટણીમાં ભાજપને 156 બેઠકો મળી હતી. ભાજપના તોફાનમાં આખો વિપક્ષ ભૂંસાઈ ગયો. કોંગ્રેસ 77માંથી 17 સીટો પર સમેટાઈ ગઈ હતી. સરકાર બનાવવાનો દાવો કરનાર આમ આદમી પાર્ટીના માત્ર પાંચ ઉમેદવારો જ ચૂંટણી જીતી શક્યા હતા. હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું એક નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે દાવો કર્યો છે કે જો આમ આદમી પાર્ટી ન હોત તો ગુજરાત ચૂંટણીમાં કોંગ્રેસ સરળતાથી ભાજપને હરાવી શકી હોત. આ પછી અનેક પ્રકારના સવાલો ઉઠી રહ્યા છે કે શું ખરેખર આવું થઈ શકે? જો આમ આદમી પાર્ટી ન હોત તો કોંગ્રેસ ચૂંટણી જીતી શકી હોત? આવો આંકડાઓ દ્વારા સમજીએ.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રાના 100 દિવસ પૂરા થવા પર પ્રેસ કોન્ફરન્સ કરી. તેણે કહ્યું, ‘તમે ગુજરાતમાં પ્રોક્સી હતા. જો તમે ન હોત તો કોંગ્રેસે ભાજપને ચૂંટણીમાં હરાવ્યું હોત. તેમણે વધુમાં કહ્યું કે, “કોઈએ કોંગ્રેસને ઓછો આંકવો જોઈએ નહીં કારણ કે તે એકમાત્ર એવી પાર્ટી છે જે વિચારધારા પર આધારિત છે અને તેના પર ચાલી રહી છે જે ભારતીય જનતા પાર્ટીને હરાવી શકે છે.” રાહુલે ભાજપ પર ‘ફાસીવાદી પાર્ટી’ હોવાનો આરોપ લગાવ્યો. ગુજરાત ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને 52.5 ટકા વોટ મળ્યા છે. મતલબ કે કુલ મતદારોમાંથી અડધાથી વધુ મતદારોએ ભાજપને જ મત આપ્યો.

હવે વાત કરીએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની. આ વખતે કોંગ્રેસને 27.3 ટકા વોટ મળ્યા છે. આમ આદમી પાર્ટીને 12.9 ટકા મતોથી સંતોષ માનવો પડ્યો હતો. 1.57 ટકા એટલે કે પાંચ લાખ લોકોએ NOTA પસંદ કર્યું. અન્ય નાના પક્ષો અને અપક્ષ ઉમેદવારોને કુલ 4.34 ટકા મત મળ્યા હતા. ચાલો માની લઈએ કે જો આમ આદમી પાર્ટી ચૂંટણીમાં ન આવી હોત તો તેનો આખો વોટ શેર કોંગ્રેસને ટ્રાન્સફર થઈ ગયો હોત. આવી સ્થિતિમાં પણ કોંગ્રેસને માત્ર 40.2 ટકા વોટ મળ્યા હોત. મતલબ ભાજપને મળેલા વોટ કરતા 12.3 ટકા ઓછા.

ચૂંટણી પંચના આંકડા દર્શાવે છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટીએ 156 બેઠકો જીતી છે. કોંગ્રેસને 17 અને આમ આદમી પાર્ટીને માત્ર પાંચ બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો. ચૂંટણીમાં 119 બેઠકો હતી, જ્યાં કોંગ્રેસ બીજા નંબરે હતી અને તેમાંથી 37 બેઠકો પર આમ આદમી પાર્ટી ત્રીજા નંબરે હતી. આમાંથી છ બેઠકો પર જીત અને હાર વચ્ચેનો તફાવત પાંચ હજારથી ઓછો હતો, જ્યારે 10 બેઠકો પર 15 હજાર મતનો તફાવત હતો. અન્ય તમામ બેઠકો પર, કોંગ્રેસ 15,000 થી વધુ મતોથી ચૂંટણી હારી હતી. આંકડા દર્શાવે છે કે જો આમ આદમી પાર્ટી ચૂંટણીમાં ન હોત તો કોંગ્રેસને 10થી 20 બેઠકોનો ફાયદો મળી શકે તેમ હતો. જો કે આમ આદમી પાર્ટીના સમગ્ર વોટ કોંગ્રેસને ટ્રાન્સફર કરવામાં આવશે તો જ આવું થશે.

હવે બીજી શક્યતા વિશે વાત કરીએ. આ ચૂંટણીમાં 35 બેઠકો હતી, જેના પર આમ આદમી પાર્ટી બીજા ક્રમે હતી. આ બે બેઠકો પર જીત અને હાર વચ્ચેનો તફાવત 10,000થી ઓછો મતનો હતો, જ્યારે અન્ય તમામ બેઠકો પર 15,000થી 1.25 લાખ મતોનો તફાવત હતો. જો કોંગ્રેસ આ બેઠકો ન લડત તો આમ આદમી પાર્ટીને આમાંથી સાતથી દસ બેઠકો મળી શકી હોત. બીજેપી 26 સીટો પર બીજા ક્રમે છે. આ 15 સીટો પર જીત અને હાર વચ્ચેનો તફાવત દસ હજારથી ઓછો હતો, જ્યારે 11 સીટો પર તે 15 હજારથી વધુ હતો. આ એવી બેઠકો છે જ્યાં અપક્ષ ઉમેદવારો અને નાના ઉમેદવારોએ પણ ભાજપના મતમાં કાપ મૂક્યો છે. જો ભાજપ, કોંગ્રેસ અને AAP અહીં લડ્યા હોત તો ભારતીય જનતા પાર્ટીને આમાંથી દસ વધુ બેઠકો મળી શકી હોત.

એ પણ બિલકુલ સાચું છે કે આ વખતે આમ આદમી પાર્ટીએ કોંગ્રેસને ખૂબ પછડાટ મારી છે. આમ આદમી પાર્ટીના કારણે કોંગ્રેસના મતોનું વિભાજન થયું. પરંતુ એ કહેવું યોગ્ય નથી કે જો આપ પાર્ટી ત્યાં ન હોત તો કોંગ્રેસ ગુજરાતની ચૂંટણી જીતી ગઈ હોત. આંકડા દર્શાવે છે કે જો આમ આદમી પાર્ટી ન હોત તો કોંગ્રેસને લગભગ 70 બેઠકો મળી હોત. આ સ્થિતિમાં ભાજપની બેઠકો ઘટી હશે. મતલબ કે ભાજપ વધુ સીટો જીતવાનો રેકોર્ડ બનાવી શકી ન હોત

 


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly