સાળંગપુર વિવાદને લઈ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મંદિર પરિસરમાં મીડિયાના પ્રવેશ પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. કોઈને એન્ટ્રી ન આપતા હવે વિવાદ વધારે વકર્યો છે. આજે બપોર એક સારા સમાચાર પણ સામે આવ્યા હતા કે સાળંગપુર મંદિર વિવાદ સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે અને હવે જલ્દી જ તેનું સમાધાન આવી જશે એવું કહેવામાં આવી રહ્યું છે કારણ કે સાળંગપુરમાં ભીંતચિત્રોને લઇ મોટા વિવાદને લઈ અનેક સાધુસંતો બાદ વિશ્વ હિન્દૂ પરિષદ મેદાને ઉતર્યું છે.
અમદાવાદના મેમનગર સ્વામિનારાયણ ગુરુકુળમાં VHP અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો વચ્ચે મોટી બેઠક થઈ છે. જેને લઈ સાળંગપુર મંદિર વિવાદમાં જલ્દી જ સમાધાન થશે એવી બધાને આશા છે. જ્યારે સાળંગપુર મંદિરમાં ભીત ચિત્રો સામે આવ્યા ત્યારે અનેક આંદલનો અને વિરોધો થયા, આ વિવાદને લઈ વિશ્વ હિન્દૂ પરિષદના મહામંત્રી અશોક રાવલે નારાજગી વ્યક્ત કરી હતી.
ખાખીમાં એક્શન મારી રિલ્સ બનાવતા પોલીસકર્મીઓ સાવધાન, ગુજરાત પોલીસ વડાનો સૌથી મોટો આદેશ
એક રિપોર્ટ અને અદાણીના 19,000 કરોડ સ્વાહા, ચીનીઓ પણ આગળ નીકળી ગયા, જાણો હવે કેટલામા નંબરે
આ તરફ VHPના આગેવાનો ગઈકાલે રાત્રે વડતાલ સ્વામિનારાયણ મંદિરના સંતો સાથે બેઠક કરી હતી. મહત્વનું છે કે, અમદાવાદના મેમનગર સ્વામિનારાયણ ગુરુકુળમાં VHP અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો વચ્ચે મોટી બેઠકમાં વડતાલ સ્વામિનારાયણ મંદિરના મુખ્ય સંતો હાજર રહ્યા હતા. આ બેઠકમાં સંતોએ VHPને વિવાદનો ઝડપથી અંત લાવવાની ખાતરી હોવાનું સામે આવ્યું છે.