સુપર ચક્રવાત બિપરજોયનું લેન્ડફોલ શરૂ થઈ ગયું છે; જ્યારે ચક્રવાતની આંખને જખૌ બંદર નજીક પહોંચવામાં 2 થી 3 કલાકનો સમય લાગશે અને સમગ્ર પ્રક્રિયા 5 થી 6 કલાક ચાલશે. આગામી 5 થી 6 કલાક સૌરાષ્ટ્ર અને કચ્છ માટે અત્યંત પડકારજનક રહેશે.
ગૃહમંત્રી અમિત શાહ સવારથી જ સાયક્લોન બિપરજોયને લઈને ઉચ્ચ અધિકારીઓ પાસેથી માહિતી લઈ રહ્યા છે. આ સાથે રાજ્ય અને કેન્દ્રીય એજન્સીઓ પાસેથી બચાવ અને રાહત કાર્યની વ્યવસ્થા કેવી રીતે કરવામાં આવી છે તેની માહિતી પણ લેવામાં આવી રહી છે.