એક અઠવાડિયા પહેલાની જ વાત છે કે આતંકવાદીઓ સામે ઝઝૂમી વીરગતિ પામનારા અમદાવાદના જવાન શહીદ થયા હતા અને આ જવાનનું નામ એટલે કે મહિપાલસિંહ વાળા.
હવે સમાચાર છે કે મહિપાલ સિંહના ઘરે પુત્રીનો જન્મ થયો છે. પુત્રીનું નામ વિરલબા રાખવામાં આવ્યું છે. પત્ની વર્ષાબાને હોસ્પિટલમાં દાખલ કરાયાં ત્યારે તેમણે મહિપાલસિંહનાં કપડાં પાસે રાખ્યાં હતાં. પુત્રીનો જન્મ થયા બાદ વર્ષાબાએ શહીદ વીરનાં કપડાંનો સ્પર્શ કરી અશ્રુભીની આંખે પુત્રીને હાથમાં લીધી હતી.
આવા શુભ પ્રસંગે પરિવારના તમામ સભ્યો હોસ્પિટલમાં જ હતા અને તમામની આંખોમાં આંસુથી અન્ય લોકો પણ ભાવુક થઈ ગયા હતા. પરિવારના સભ્યોએ એવું પણ જણાવ્યું હતું કે, દીકરી મોટી થશે અને જો તેને ડિફેન્સ સર્વિસીસમાં જવાની ઇચ્છા હશે તો તેને તેમાં મૂકીશું.
જો થોડા દિવસો પહેલાની વાત કરીએ તો આ પહેલાં શહીદ મહિપાલસિંહનાં પત્ની વર્ષાબાએ કહ્યું હતું કે, જો તેમને પુત્ર જન્મ થશે તો તેઓ તેને ભારતીય સૈન્યમાં મોકલશે.
‘ગદર 2’ રિલીઝ થતાં જ ‘ગદર 3’ પર મોટું અપડેટ, દિગ્દર્શકના પુત્રનો ખુલાસો, સાંભળીને વિશ્વાસ નહીં આવે
ફરીથી આકાશમાંથી તોફાન વરસશે, 15 ઓગસ્ટ સુધી ગુજરાત સહિત દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
જમ્મુ-કાશ્મીરમાં વીરગતિ પામેલા જવાન મહિપાલસિંહ વાળાના પત્નીએ શુક્રવારે સાંજે બાળકીને જન્મ આપ્યો હતો અને હાલમાં પરિવારમાં ખુશીનો માહોલ પણ છે.