રામચરિત માનસ પર આપેલા નિવેદનની માફી માંગો બાકી કાશીમાં ઘુસવા નહીં દઈએ…. નેતાજીને આપી દીધી ચોખ્ખી ધમકી!

Lok Patrika
By Lok Patrika
Share this Article

શ્રી રામચરિત માનસ પર પોતાના વિવાદાસ્પદ નિવેદનને લઈને ચર્ચામાં આવેલા સ્વામી પ્રસાદ મૌર્ય વિરુદ્ધ ભારતીય જનતા પાર્ટીએ મોરચો ખોલ્યો છે. ભાજપ સતત તેમને તેમના નિવેદન માટે માફી માંગવા માટે કહી રહ્યું છે. જો કે સમાજવાદી પાર્ટીના મહાસચિવ સ્વામી પ્રસાદ મૌર્ય પણ પોતાની વાત પર અડગ છે. આ વિવાદ વચ્ચે ભાજપના કાર્યકરોએ તેમને કાળા ઝંડા બતાવ્યા અને કહ્યું કે જો તેઓ માફી નહીં માંગે તો તેમને કાશીમાં પ્રવેશ નહીં મળે.

રવિવારે વારાણસીના ટેંગરા મોડમાં ભાજપના કાર્યકરોએ સપાના મહાસચિવ સ્વામી પ્રસાદ મૌર્યના કાફલાને કાળી ઝંડી બતાવી હતી અને વિરોધ કર્યો હતો. તેઓ વારાણસીથી સોનભદ્ર માટે રવાના થયા હતા, જ્યારે રસ્તામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તેમના કાફલાની સામે આવ્યા અને ‘જય શ્રી રામ’ અને ‘હર હર મહાદેવ’ના નારા લગાવવા લાગ્યા. ભાજપના કાર્યકરોએ સ્વામી પ્રસાદ મૌર્યની કાર પર પણ કપડા ફેંક્યા હતા.

જો કે પોલીસે કાર્યકર્તાઓને સ્થળ પર જ રોકી દીધા હતા અને મૌર્યના કાફલાને તરત જ ત્યાંથી રવાના કરવામાં આવ્યો હતો. જોકે, વિરોધ કરી રહેલા એકપણ કાર્યકર્તાની ધરપકડ કરવામાં આવી નથી. પોલીસે કહ્યું કે કોઈની ધરપકડ કરવામાં આવી નથી. ભાજપના કાર્યકરોએ કહ્યું કે સ્વામી પ્રસાદ મૌર્યએ શ્રીરામચરિતમાનસને લઈને કરેલા વિવાદાસ્પદ નિવેદન માટે માફી માંગવી જોઈએ. જો તેઓ આમ નહીં કરે તો અમે તેમની સામે આગળ પણ વિરોધ કરીશું અને તેમને વારાણસી આવવા નહીં દઈશું.

ચમત્કાર સિવાય શક્ય જ નથી, ભૂકંપના 149 કલાક બાદ કાટમાળમાંથી માણસને બહાર કાઢ્યો, વીડિયો જોઈ હાજા ગગડી જશે!

હવાતિયા મારીને ઉંધા પડી ગયા પણ ભેગું ના થયું, આજે પણ અદાણી ગૃપની કમર ભાંગી ગઈ, નુકસાનનો આંકડો આસમાને

ધીરેન શાસ્ત્રી પહેલા નાલાયક હતા, આ રીતે એઠી ચા પીધી અને બની ગયા બાગેશ્વરધામની સરકાર, જાણો એવો કયો ચમત્કાર થયો!

સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, સપા નેતા મૌર્યએ કહ્યું હતું કે, ‘ધર્મનો અસલી અર્થ માનવતાનું કલ્યાણ અને તેની તાકાત છે. શ્રી રામચરિતમાનસની કેટલીક પંક્તિઓના કારણે જો સમાજના કોઈ વર્ગનું જાતિ, વર્ણ અને વર્ગના આધારે અપમાન થાય છે તો તે ચોક્કસપણે ધર્મ નથી, અધર્મ છે. રામચરિતમાનસની કેટલીક પંક્તિઓમાં તેલી અને કુમ્હાર જેવી કેટલીક જાતિના નામ આપવામાં આવ્યા છે. તેનાથી લાખો લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી છે. તેમણે કહ્યું હતું કે, ‘રામચરિતમાનસમાં લખેલી વાંધાજનક પંક્તિઓ પર પ્રતિબંધ મૂકવો જોઈએ, જે જાતિ, વર્ગ અને વર્ણના આધારે સમાજના એક વર્ગનું અપમાન કરે છે.’


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly