દેશની રાજધાની દિલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન પોતાને બીજેપીના વરિષ્ઠ નેતા ગણાવનાર વ્યક્તિ જય ભગવાન ગોયલે એક ખાસ સમુદાય વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. દિલ્હી પોલીસે જય ભગવાન ગોયલના ઉશ્કેરણીજનક નિવેદન સામે કેસ નોંધ્યો છે.
હકીકતમાં, યુનાઈટેડ હિંદુ મોરચાએ ઉત્તર પૂર્વ દિલ્હીમાં હિન્દુ રાષ્ટ્ર માટે પંચાયતનું આયોજન કર્યું હતું. ગોયલે આ કાર્યક્રમમાં વિવાદાસ્પદ ટીપ્પણી કરી છે. તેઓ પોતે પણ આ કાર્યક્રમના આયોજકોમાંના એક હતા. કાર્યક્રમને સંબોધતા જય ભગવાન ગોયલે કહ્યું, “કોઈ પણ મુસ્લિમ નેતાએ PFIની નિંદા કરી નથી કારણ કે બધા મુસ્લિમો સરખા છે. જો આપણે આપણા હાથમાં ત્રિશુલ લઈને શેરીઓમાં નહીં ઉતરીએ, તો ભારત 5-7 વર્ષમાં મુસ્લિમ રાષ્ટ્ર બની જશે.
એટલું જ નહીં, તેણે મુસ્લિમોના આર્થિક બહિષ્કારનું પણ આહ્વાન કર્યું અને દરેકને હિંદુ રાષ્ટ્રનું લક્ષ્ય રાખવા કહ્યું. આ કાર્યક્રમમાં તેમના સિવાય દિલ્હી ભાજપના કોષાધ્યક્ષ રામ અવતાર ગુપ્તા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સત્યનારાયણ જાટિયા પણ હાજર હતા. જય ભગવાન ગોયલ પોતાને ભાજપના વરિષ્ઠ નેતા ગણાવે છે.
સૌથી સુરક્ષિત જગ્યાએ રોકાણ કરવાનો ઉત્તમ મોકો: આટલા જ મહિનામાં પૈસા ડબલ થશે, જાણો સરકારના નવા નિયમો
એક પ્રશ્નના જવાબમાં દિલ્હી પોલીસના ઉચ્ચ અધિકારીઓએ કહ્યું કે તેઓ ભાષણ જોઈ રહ્યા છે અને એફઆઈઆર નોંધવાની પ્રક્રિયામાં છે. આપને જણાવી દઈએ કે, તાજેતરમાં સુપ્રીમ કોર્ટે ધર્મ સંસદમાં અભદ્ર ભાષાના ઉપયોગના મામલામાં FIR અને ચાર્જશીટ દાખલ કરવામાં વિલંબ કરવા બદલ દિલ્હી પોલીસને ફટકાર લગાવી હતી.