Ahmedabad News: રખડતા ઢોરના ત્રાસને લઇ કાર્યવાહી કરવામાં આવી છે અને હવે આકરા નિર્ણયો પણ લેવામા આવ્યા છે. કારણ કે રખડતા ઢોરના ત્રાસને લઈ લોકોને ભારે મુસીબત પડી રહી છે. જેથી હવે એક એવો નિર્ણય કરવામાં આવ્યો છે કે જે ખરેખર આ ત્રાસમાંથી આપણને મુક્તિ અપાવી શકે છે.
ઢોરના ત્રાસને ડામવા AMC હવે બાઉન્સરો રાખશે. સ્ટેટ લીગલ ઓથોરિટી દ્વારા હોટસ્પોટ પણ નક્કી કરી લેવામાં આવ્યા છે. 96 સ્થળો પર ઢોરનો ત્રાસ હોવાનું નક્કી કરાયું છે અને આ દરેક સ્થળ પર બાઉન્સર તૈનાત કરશે. AMC એ ઢોર પકડવાની નીતિ HC માં પણ રજૂ કરી દીધી છે. તેથી હવે અમદાવાદીને આ સમસ્યામાથી હલ મળશે અને લોકોના મોત થતાં પણ અટકી શકશે.
અમદાવાદ મહાનાગરપાલિકા દ્વારા જે નવી પોલિસી બનાવવામાં આવી છે તે અંતર્ગત ઢોર રાખનાર વ્યક્તિ કે સંસ્થાઓએ ફરજિયાત લાયસન્સ અને પરમીટ લેવાનું રહેશે.વસાયિક હેતુ માટે ઉપયોગ થતા પશુઓ માટે લાયસન્સ લેવું ફરજિયાત બનશે. આ માટે ઢોર માલિકોએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને લાયસન્સ અને પરમીટ ચાર્જ ચૂકવવાનો રહેશે.
જેના માટેની મુદ્દત ત્રણ વર્ષની રહેશે. લાયસન્સમાં અને પરમીટમાં દર્શાવ્યા સંખ્યામાંથી વધુ ઢોર હશે તો દંડનીય કાર્યવાહી થશે.ત્રણ વર્ષ માટેની લાયસન્સ ફી રૂપિયા 2000 તથા પરમીટ રકમ માટે રૂપિયા 500 ભરવાના રહેશે. દર ત્રણ વર્ષે લાયસન્સ અને પરમીટ રકમ ચુકવી રિન્યુ કરવાના રહેશે.
PHOTOS: આ અબજોપતિ વાળંદ પાસે છે 400થી વધુ કાર, બાળપણમાં અખબારો વેચ્યા, આ રીતે નસીબ ચમક્યું
iPhone 14 અને iPhone 13 બંધ થઈ જશે! Appleનો સ્ટોક સમાપ્ત, અચાનક કિંમતમાં મોટો ઘટાડો
અમદાવાદની 17 બેંકોમાંથી અધધ.. 14.31 લાખની નકલી નોટો ઝડપાતા ખળભળાટ, સામાન્ય માણસને શું આશા રાખવાની?
પોલીસી જાહેર થયાના બે માસમાં જ RFID અને ટેગ લગાવો ફરજીયાત રહેશે. જો નહી લાગે તો પશુ દીઠ 200 ચાર્જ અને ત્યારપછી 1000 ચાર્જ ચૂકવવો પડશે. ચાર મહિનામાં ટેગ અથવા RFID નહીં તો ઢોર ડબ્બે પુરવામા આવશે અને માલિક વિરૂદ્ધ પોલીસ ફરિયાદ દાખલ થશે. પાંજરાપોળ અને ગૌશાળા તેમજ માન્ય સંસ્થાઓ પણ લાયસન્સ અને પરમીટ લેવાના રહેશે. તેઓને ફીમાંથી મુકતી મળશે.