Breaking News: હારીજમાં વરાણા ખોડિયાર મંદિરે જઇ રહેલા લોકોનો નડ્યો અકસ્માત, યાત્રા સંઘના 3 લોકોના મોત 5 ઘાયલ

Desk Editor
By Desk Editor
Share this Article

Patan News: હારીજ ચાણસ્મા રોડ ઉપર આવેલ દાંતરવાડા ગામના પાટીયા પાસે ગંભીર અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. હાલ વરાણા ખોડિયાર માતાજી મંદિરે મેળાના માહોલ વચ્ચે દર્શનાર્થીઓ પગપાળા વરાણા જઈ રહ્યા છે. આ દરમિયાન બેચરાજી પંથકનો એક સંઘ પણ વરાણા જવા નીકળ્યો હતો. અત્રે અજાણ્યા વાહન ચાલકે અકસ્માત સર્જી ફરાર થઈ ગયો હતો.

આ ઘટનામાં 3 લોકોના મોત થયા તો અન્ય 5 જેટલા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા છે. આ તરફ ઘટનાને લઈ હારીજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બીજી તરફ અન્ય 5થી વધુ વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી હોઇ તાત્કાલિક સારવાર અર્થે ધારપુર મેડિકલ કોલેજ ખાતે ખસેડાયા છે.

મૃતકોના નામ

શારદાબેન કડવાજી (ઉમર 62), પૂજાબેન જયરામજી (ઉમર 20), રોશનીબેન જગાજી (ઉમર 16)

ઇજાગ્રસ્તોના નામ

સંદેશભાઈ માનસીંગભાઈ ઠાકોર (ઉમર 18)
મહેન્દ્રભાઈ ઠાકોર (ઉમર 25)
સવિતાબેન નાગજીજી ઠાકોર (ઉમર 45)
નિલેશભાઈ પ્રભાતભાઈ ઠાકોર (ઉમર 13)
રાહુલભાઇ મગનજી ઠાકોર (ઉમર 18)


Share this Article
TAGGED: