હાલમાં માહિતી મળી રહી છે કે ધોરણ 12ના સામાન્ય પ્રવાહના કોમ્પ્યુટર વિષયનું પેપર વાયરલ થયું છે. યુવારાજસિંહે દાવો કર્યા બાદ પેપર વાયરલની ચર્ચાને લઈ વાલીઓમાં ચિંતા વ્યાપી ગઈ છે. રાજ્યમાં વધુ એકવાર પેપર લિકની ઘટના બનતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
હાલમાં ધોરણ-12ની સામાન્ય પ્રવાહની પરિક્ષા ચાલુ છે અને કોમ્પ્યુટર વિષયનું પેપર વાયરલ થયો હોવની ચર્ચા સામે આવી છે. પરીક્ષા પૂર્ણ થતા પહેલા પેપર વાયરલ થયાનો યુવરાજસિંહએ દાવો કર્યો છે. જો કે યુવરાજ સિંહે એમ પણ કહ્યું છે કે આ જ પેપર છે એવી હું પુષ્ટિ નથી કરતો.
આજરોજ ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ માં ""#કોમ્પ્યુટર_વિષય"" ની પરીક્ષા વર્તમાન સમયમાં ચાલી રહી છે.
મારા વોટ્સ એપ નંબર સુધી જાગૃત નાગરિક દ્વારા આ #પેપરલીક થયાની માહિતી પોહચાડવા માં આવેલ છે.
પેપર સાચું છે કે ખોટું તેની પુષ્ટિ હું કરતો નથી.
વર્તમાન સમય દરમિયાન પેપર શરૂ છે👉૩ થી ૬:૧૫ pic.twitter.com/PstcxW3Ead
— Yuvrajsinh Jadeja (@YAJadeja) March 27, 2023
યુવરાજ સિંહે ટ્વીટ કરીને લખ્યું કે- આજરોજ ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ માં “”#કોમ્પ્યુટર_વિષય”” ની પરીક્ષા વર્તમાન સમયમાં ચાલી રહી છે. મારા વોટ્સ એપ નંબર સુધી જાગૃત નાગરિક દ્વારા આ #પેપરલીક થયાની માહિતી પોહચાડવામાં આવેલ છે. પેપર સાચું છે કે ખોટું તેની પુષ્ટિ હું કરતો નથી. વર્તમાન સમય દરમિયાન પેપર શરૂ છે ૩ થી ૬:૧૫…