વિશ્વ ઉમિયાધામ ખાતે આયોજિત રામકથામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા હતા અને ત્યાં રામ મંદિર વિશે એમનું મોટું નિવેદન સામે આવ્યું છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે રામ મંદિરને લઈને મોટું નિવેદન આપ્યું છે. આ નિવેદનમાં તેઓએ જણાવ્યું છે કે રામ મંદિર ક્યારે બનીને તૈયાર થઈ જશે અને સાથે જ પોતાનો ભાવ પણ પ્રગટ કર્યો છે. પટેલે કહ્યું કે રામ મંદિર માટે કેટલા કેટલા આંદોલનો કરવા પડ્યા છે આપણને બધાને ખબર છે, અનેક આંદોલનો બાદ આપણને રામ મંદિર મળ્યું છે.
પોતાની વાત આગળ વધારતા ભૂપેન્દ્ર પટેલે વાત કરી કે હવે રામ મંદિર 2024માં તૈયાર થઈ જવાનું છે. જેનો શ્રેય વિશ્વના સૌથી લોકપ્રિય નેતા નરેન્દ્ર મોદી અને અમિત શાહને જાય છે. આપણી શ્રદ્ધા, આપડી સંસ્કૃતિ ટકાવી રાખવામાં ખૂબ મોટો ફાળો જેને કહી શકાય તે આપણને તેમના થકી મળ્યો છે. ત્યારે હવે રામ ભક્તોમાં પણ અનેરી ખુશી જોવા મળી રહી છે.
આ સાથે જ ભગવાન રામલલાના નિર્માણાધીન મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાને લઈને સમાચારો આવવા લાગ્યા છે. નાણામંત્રી સુરેશ કુમાર ખન્નાએ રામલલા મંદિરના ગર્ભગૃહમાં ક્યારે બિરાજશે તેની તારીખ જાહેર કરી છે. તેમણે જણાવ્યું કે પ્રાણ પ્રતિષ્ઠાની તારીખ 22 જાન્યુઆરી નક્કી કરવામાં આવી છે. જે બાદ અયોધ્યાના સંતોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તપસ્વી છાવણીના પીઠાધીશ્વર જગતગુરુ આચાર્યએ કહ્યું કે જે લોકો કહેતા હતા કે ત્યાં મંદિર બનશે પરંતુ ભગવાન રામલલાના મંદિરના નિર્માણ અંગે તારીખ જણાવશે નહીં તેમના માટે પણ તારીખ નક્કી કરવામાં આવી છે.
ગૂગલે લોનના નામે હજારો કરોડની છેતરપિંડી કરનારી 3500 એપ્સ કાઢી નાખી, તમે તો ભેખડે નહોતા ભરાયા ને??
મોંઘીદાટ BMW કાર સુરતમાં રસ્તા વચ્ચે સળગી ગઈ, કારણ કોઈને નથી ખબર, ચારેકોર અફરાતફરીનો માહોલ
22 જાન્યુઆરીએ ભગવાન રામલલા મંદિરના ગર્ભગૃહમાં બિરાજશે. મંદિરનું બાંધકામ પૂર્ણતાના આરે છે. જેની તારીખ નક્કી કરવામાં આવી છે. જગતગુરુએ કહ્યું કે રામ ભક્તો માટે આનાથી મોટો કોઈ ખુશીનો દિવસ હોઈ શકે નહીં. રામ મંદિર માટે અનેક રામ ભક્તોએ બલિદાન આપ્યા છે. એવા રામ ભક્તોને પણ માન આપવું જોઈએ.