Gujarat news: ગુજરાતમાં વધુ એક મોટું અક્ષરધામ બનવા જઈ રહ્યું છે. સ્વામિનારાયણની BAPS સંસ્થા દ્વારા રાજ્યનું સૌથી મોટું અક્ષરધામ મંદિર નડિયાદમાં બનાવાવામાં આવી રહ્યું છે.
હાલમાં ગુજરાતનું એકમાત્ર અક્ષરધામ મંદિર ગાંધીનગરમાં આવેલું છે, જ્યારે રાજ્યનું બીજું અને સૌથી મોટું અક્ષરધામ મંદિર નડિયાદમાં પૂર્ણ થશે અને મહંત સ્વામી દ્વારા મૂર્તિનો અભિષેક કરવામાં આવશે.
શું હશે આ મંદિરમાં ખાસ?
નડિયાદમાં બની રહેલા અક્ષરધામ મંદિર અંગે પ્રાપ્ત માહિતી અનુસાર આ મંદિર રાજ્યના ખેડા જિલ્લાના નડિયાદમાં બની રહ્યું છે. આ રાજ્યનું સૌથી મોટું અક્ષરધામ મંદિર હશે.
યોગી ફાર્મ પિપલગની 45 એકર જમીનમાંથી 12 એકર જમીન પર મંદિરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.
જ્યાં એક લાખ ઘનફૂટ ગુલાબી પથ્થર સાથેનું ભવ્ય મંદિર બનાવવામાં આવશે. નડિયાદના આ અક્ષરધામ મંદિરમાં 11 ગુંબજ, 324 થાંભલા, 1210 ચોરસ ફૂટનો ગોળાકાર માર્ગ અને અક્ષરદેરીની પ્રતિકૃતિ આકર્ષણનું કેન્દ્ર બનશે.
સૌથી મોટું અક્ષરધામ મંદિર ક્યાં આવેલું છે?
ખાસ વાત એ છે કે 7 ડિસેમ્બરે નડિયાદ અક્ષરધામ મંદિરમાં BAPS સંસ્થાના મહંત સ્વામીના હસ્તે મૂર્તિનો અભિષેક કરવામાં આવશે. 2003 માં ભગવાન સ્વામિનારાયણની જન્મજયંતિ પર પ્રમુખ સ્વામીએ આ સ્થાન પર મંદિર બનાવવાનો સંકલ્પ કર્યો.
મંગળસૂત્ર ક્યારે ના પહેરવું જોઈએ? દરેક મહિલાએ આ વાત જાણવી જ જોઈએ, અયોધ્યાના જ્યોતિષે કહી મોટી વાત
ધનતેરસના દિવસે ઘરના ચાર ખૂણામાં રાખો આ એક વસ્તુ, આખું વર્ષ એટલું કમાશો કે ધનવાન બની જશો!
તમને જણાવી દઈએ કે, વિશ્વનું બીજું સૌથી મોટું અક્ષરધામ મંદિર અમેરિકાના ન્યુ જર્સીમાં છે. અમેરિકાના ન્યુજર્સીમાં ખુલવા જઈ રહેલા અક્ષરધામ મંદિરને ભારત બહાર વિશ્વનું બીજું સૌથી મોટું હિન્દુ મંદિર કહેવાશે અને તેની ભવ્યતા એવી છે કે તસવીરો જોઈને આંખો અંજાઈ જશે.