Odisha Train Acciden: ઓડિશાના બાલાસોર જિલ્લામાં શુક્રવારે (3 જૂન)ના રોજ એક ટ્રેન અકસ્માતમાં 288 લોકોના મોત થયા હતા. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, 1 હજારથી વધુ મુસાફરો ઘાયલ થયા છે. આ લોકોને બાલાસોર જિલ્લા હોસ્પિટલ અને સોરો હોસ્પિટલ સહિત રાજ્યની વિવિધ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ સમગ્ર અકસ્માત દરમિયાન સરકાર અને બચાવકર્મીઓ ઉપરાંત લોકોએ પણ ઘાયલોને અને મૃતકોના સંબંધીઓને હોસ્પિટલથી લઈને અકસ્માત સ્થળ સુધી મદદ કરી હતી.
#WATCH | There is a very huge response from the youth. Hundreds of people donated blood. More than 3000 units of blood collected since last night in Cuttack, Balasore and Bhadrak. We've also donated to CM and PM relief funds: Dr Jayant Panda, SCB Medical College, Cuttack on… pic.twitter.com/UZT2ukgHjR
— ANI (@ANI) June 3, 2023
દરમિયાન, કટકની એસસીબી મેડિકલ કોલેજના ડો. જયંત પાંડાએ જણાવ્યું કે આ મુશ્કેલ સમયમાં લોકો આગળ આવી રહ્યા છે અને અમારી મદદ કરી રહ્યા છે. તેમણે કહ્યું, “યુવાઓ, એનજીઓ અને વિદ્યાર્થીઓ રક્તદાન કરવા માટે હોસ્પિટલમાં ઉમટી પડ્યા છે. લોકો લાઈનમાં છે. અમને શુક્રવાર (2 જૂન)ના રોજ 3000 યુનિટથી વધુ રક્તદાન મળ્યું છે. અમે પીએમ અને સીએમ રિલીફ ફંડમાં પણ દાન આપ્યું છે, પરંતુ અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધી રહી છે.
પોલીસકર્મીઓ પણ લોહી આપવા આવ્યા હતા
બાલાસોર ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર હોસ્પિટલના એડિશનલ ડિસ્ટ્રિક્ટ મેડિકલ ઓફિસર (ADMO) ડૉ. મૃત્યુંજય મિશ્રાએ પણ જણાવ્યું હતું કે મોટી સંખ્યામાં યુવાનો રક્તદાન કરવા આવ્યા તે જોઈને અમને ખરેખર આશ્ચર્ય થયું છે. અમે રાતોરાત લગભગ 500 યુનિટ રક્ત એકત્ર કર્યું. બધાનો આભાર. આ જીવનમાં એકવારનો અનુભવ છે. તે જ સમયે, સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, પોલીસકર્મીઓ અને સ્થાનિક લોકો સ્વેચ્છાએ અહીં અને અન્ય ઘણી હોસ્પિટલોમાં રક્તદાન કરી રહ્યા છે.
આ પણ વાંચો
જો ભારતીય રેલવેનું ‘કવચ’ ટ્રોનમાં હોત તો ઓડિશા ટ્રેન દુર્ઘટના ઘટી જ ના હોત! 300 લોકો આજે જીવતા હોત
મોરારીબાપુની જય હો, ઓડિશા ટ્રેન દુર્ઘટનામાં લોકોને સહાયરૂપ થવા માટે રૂપિયા 50 લાખની સહાય કરી
કેવી રીતે થયો અકસ્માત?
12864 બેંગલુરુ-હાવડા સુપરફાસ્ટ એક્સપ્રેસના કેટલાક ડબ્બા શુક્રવારે સાંજે 7 વાગ્યે બહાનાગા ખાતે પાટા પરથી ઉતરી ગયા હતા અને અન્ય ટ્રેક પર પડ્યા હતા. આ પછી પાટા પરથી ઉતરી ગયેલા આ કોચ 12841 શાલીમાર-ચેન્નઈ કોરોમંડલ એક્સપ્રેસ સાથે અથડાઈ અને તેના ડબ્બા પણ પલટી ગયા. ત્યારપછી કોરોમંડલ એક્સપ્રેસના ડબ્બા પાટા પરથી ઉતર્યા બાદ માલગાડી સાથે અથડાઈ, જેના કારણે ત્રણેય ટ્રેનો અકસ્માતની ઝપેટમાં આવી ગઈ.