તોફાનની અસર પાકિસ્તાનમાં પણ જોવા મળી રહી છે. કરાચી અને લાહોરમાં ભારે વરસાદ પડી રહ્યો છે. કચ્છના કલેક્ટરે ANIને જણાવ્યું કે 46 હજાર લોકોની સાથે 20 હજારથી વધુ પશુઓને પણ સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે ચક્રવાત ‘બિપરજોય’ અંગે સમીક્ષા બેઠક યોજી હતી.
વાવાઝોડાની અસર માંડવીમાં દેખાવા લાગી છે. આ વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. આજે સાંજ સુધીમાં દ્વારકામાં વાવાઝોડું ત્રાટકે તેવી શક્યતા છે. દરિયાકાંઠાના વિસ્તારમાં જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે. દ્વારકામાં વાવાઝોડાને કારણે ભારે વરસાદની સંભાવના છે. મુંબઈના મરીન ડ્રાઈવ પર સવારે 10.29 વાગ્યે હાઈટાઈડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. લોકોને કિનારાથી દૂર રહેવા માટે કહેવામાં આવ્યું છે.
#WATCH | Maharashtra: Visuals from Marine Lines in Mumbai as #CycloneBiparjoy is excepted to make landfall in Gujarat. High tide is expected in Mumbai at 10.29 am. pic.twitter.com/drYQP8HOQm
— ANI (@ANI) June 15, 2023
આજે મોડી સાંજના સુમારે આ વાવાઝોડું સૌરાષ્ટ્ર, કચ્છ અને જખૌ બંદરની આસપાસ ત્રાટકશે. દરિયાકાંઠે અથડાવા પર, પવનની ઝડપ 115 કિમી પ્રતિ કલાકથી 120 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. દરિયામાં 2.5 મીટર ઉંચા મોજા ઉછળી શકે છે. મહત્તમ ઉંચાઈ કચ્છમાં આવે તેવી શક્યતા છે. IMD અનુસાર, હાલની મુસાફરીની ઝડપ 5-6 kmph છે. પવનની ઝડપ 120ની આસપાસ છે, તેથી મોડી સાંજ સુધી ત્રાટકવાની શક્યતા છે. જેમ-જેમ વાવાઝોડું દરિયાકાંઠે પહોંચશે તેમ તેમ મુસાફરીની ઝડપ 8 થી 12 સુધી પહોંચી જશે.
વાવાઝોડાને કારણે કચ્છ જિલ્લા વહીવટીતંત્રે શાળા-કોલેજોની રજાઓ બે દિવસ લંબાવી છે. જિલ્લામાં 17 જૂન સુધી શિક્ષણ કાર્ય બંધ રહેશે. વાવાઝોડું લેન્ડફોલ કરે તે પહેલા જ તબાહી શરૂ થઈ ગઈ છે. દ્વારકા અને ધોરજીમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે પવનને કારણે વૃક્ષો ધરાશાયી થયા છે, જેના કારણે વાહનવ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે.
#WATCH | Sea water enters houses located at the coast as tidal waves lash Mangrol in Junagarh district of Gujarat pic.twitter.com/AvV2XMpLXy
— ANI (@ANI) June 15, 2023
કચ્છ કલેક્ટર અમિત અરોરાએ જણાવ્યું છે કે સુપર સાયક્લોન સાંજે 4-5 વાગ્યાની વચ્ચે લેન્ડફોલ કરી શકે છે. 46 હજાર લોકોને બહાર કાઢીને શેલ્ટર હોમમાં મોકલવામાં આવ્યા છે. NDRFની 6, RPFની 6 અને SDRFની 2 ટીમો તૈનાત છે. સેનાની 8 ટુકડીઓ પણ સ્ટેન્ડબાય પર છે. જૂનાગઢમાં ઉંચા મોજા ઉછળી રહ્યાં છે જેના કારણે દરિયાનાં પાણી ઘરોમાં ઘૂસી ગયા છે. IMDના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું કે બિપરજોય વાવાઝોડું જાખાઉ બંદરથી 180 કિમી દૂર છે. હવે તેની સ્પીડ 125-150 કિમી છે, જે પહેલા કરતા ઓછી છે.
આ પણ વાંચો
કૂદરતના ખજાને શું ખોટ પડી? પરિવાર સુતો હતો અને ઘરમાં આગ ભભૂકી, 5 બાળકો સહિત 6 બળીને ખાખ થઈ ગયાં
ભારતીય નૌસેનાએ જણાવ્યું છે કે ચાર જહાજો સ્ટેન્ડબાય પર છે. પોરબંદર અને ઓખામાં પાંચ-પાંચ રાહત ટીમો અને વાલસુરામાં 15 રાહત ટીમો તૈયાર છે. નેવીના હેલિકોપ્ટરને ગોવામાં INS હંસા અને મુંબઈમાં INS શિકરા નેવલ એર સ્ટેશન પર સ્ટેન્ડબાય પર રહેવા માટે કહેવામાં આવ્યું છે.