હાલમાં દેવાયત ખવડ મામલે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મયૂરસિંહ રાણા પર હુમલા કેસમાં સંડોવાયેલ લોકસાહિત્યકાર દેવાયત ખવડને આ સમાચાર કલાકાર માટે અને એમના ચાહકો માટે ખુબ સારા કહી શકાય. આખરે 72 દિવસના જેલવાસ બાદ દેવાયત ખવડના જામીન મંજૂર થયા છે. કારણ કે દેવાયત ખવડના ગુજરાત હાઈકોર્ટે જામીન મંજૂર કર્યા છે. જો કે સાથે જ તેમને 6 મહિના સુધી રાજકોટમાં ન પ્રવેશવાની શરતે જામીન આપવામાં આવ્યા છે.
રાણો રાણાની રીતે’ ડોયલૉગ્સ બધા જ કાર્યક્રમમાં બોલનાર દેવાયત ખવડ જેલમાંથી બહાર આવી ગયો છે, પરંતું અત્રે મોટી વાત એ છે કે, તે અત્યાર સુધી 72 રાત જેલમાં વિતાવી ચૂક્યો છે તેમજ પાંચ વખત જામીન માટે હવાતિયા પણ મારી ચૂક્યો છે. મયૂરસિંહ રાણા પર હુમલા કેસમાં સંડોવાયેલ લોકસાહિત્યકાર દેવાયત ખવડ જેલમાં છે એ વાતની બધાને ખબર છે અને જામીન માટેના હવાતિયા મારી રહ્યો છે એની પણ સૌને જાણ છે. ખવડ સેશન્સ કોર્ટથી લઈ હાઈકોર્ટના દ્વાર સુધી બધે જ જામીન માટે કાયદેસર વલખા મારી રહ્યો હતો.
બુકીંગ પેટે એડવાન્સ રકમ પણ સ્વીકારી લીધી હતી જો રદ કરે તો જંગી આર્થિક નુસાન વેઠવું પડશે અને રકમ પરત કરવા માટે લાંબા સમયથી જેલવાસના કારણે આર્થિક રીતે સક્ષમ ન હોવાથી બુક કરેલા કાર્યક્રમ યોજવા માટે 25 દિવસના વચગાળાના જામીન મંજૂર કરવા અરજી ગુજારી હતી એ પણ નામંજુર થઈ હતી.