BIG BREAKING: દેવાયત ખવડના 72 દિવસના જેલવાસ બાદ જામીન મંજુર, પરંતુ રાજકોટમાં પ્રવેશવાની ચોખ્ખી મનાઈ

Lok Patrika
By Lok Patrika
Share this Article

હાલમાં દેવાયત ખવડ મામલે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મયૂરસિંહ રાણા પર હુમલા કેસમાં સંડોવાયેલ લોકસાહિત્યકાર દેવાયત ખવડને આ સમાચાર કલાકાર માટે અને એમના ચાહકો માટે ખુબ સારા કહી શકાય. આખરે 72 દિવસના જેલવાસ બાદ દેવાયત ખવડના જામીન મંજૂર થયા છે. કારણ કે દેવાયત ખવડના ગુજરાત હાઈકોર્ટે જામીન મંજૂર કર્યા છે. જો કે સાથે જ તેમને 6 મહિના સુધી રાજકોટમાં ન પ્રવેશવાની શરતે જામીન આપવામાં આવ્યા છે.

રાણો રાણાની રીતે’ ડોયલૉગ્સ બધા જ કાર્યક્રમમાં બોલનાર દેવાયત ખવડ જેલમાંથી બહાર આવી ગયો છે, પરંતું અત્રે મોટી વાત એ છે કે, તે અત્યાર સુધી 72 રાત જેલમાં વિતાવી ચૂક્યો છે તેમજ પાંચ વખત જામીન માટે હવાતિયા પણ મારી ચૂક્યો છે. મયૂરસિંહ રાણા પર હુમલા કેસમાં સંડોવાયેલ લોકસાહિત્યકાર દેવાયત ખવડ જેલમાં છે એ વાતની બધાને ખબર છે અને જામીન માટેના હવાતિયા મારી રહ્યો છે એની પણ સૌને જાણ છે. ખવડ સેશન્સ કોર્ટથી લઈ હાઈકોર્ટના દ્વાર સુધી બધે જ જામીન માટે કાયદેસર વલખા મારી રહ્યો હતો.

 

આજના દિવસ સુધીની વાત કરીએ તો અત્યાર સુધી 72 રાત જેલમાં વિતાવી છે, એટલું જ નહીં સેશન્સ કોર્ટથી લઈ હાઈકોર્ટ સુધી કુલ પાંચ વખત જામીન માટે વલખા માર્યા હતા. 5 વખત ખવડની જામીન અરજીઓ રદ થઈ છે અને હજુ પણ મળે કે કેમ એમા શંકા હતા. જો કે હવે તેને જામીન મળી ગયા છે. ખવડ સહિત બે સહ તહોમતદર સામેથી ધરપકડ કરવામાં આવી હતી.

 

 

રિમાન્ડની મુદ્દત પુરી થયે ત્રણેયનેકોર્ટના આદેશ મુજબ જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા. દેવાયત સહિત ત્રણેય ત્રણેય તહોમદારે ચાર્જશીટ પૂર્વે રેગ્યુલર જામીન અરજી કરી હતી જે શેસન્સ કોર્ટે ફગાવી દીધી હતી અને ત્યારબાદ હાઇકોર્ટમાં જામીન અરજી કરી હતી. ત્યાર બાદ હાઇકોર્ટમાં કરેલી જામીન અરજી પરત ખેંચી લીધી હતી. આ કેસમાં ચાર્જશીટ રજૂ થતા ત્રણેય આરોપીએ રેગ્યુલર જામીન માટે અરજી કરી કરી હતી જેમાં મુદત પડતા એડવોકેટ અજય કે. જોષી સ્તવન મહેતા મારફત જામીન મેળવવા અરજી કરી હતી.

 

 

આ પહેલા વચગાળાના જામીન માટે કરાયેલી અરજીમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે, પોતે લોકગાયક છે. બનાવ પૂર્વે તેમણે ગોંડલના એક પ્રસંગ સહિત અન્ય કેટલાક લગ્ન પ્રસંગોમાં તેમજ શિવરાત્રી પર્વના કાર્યક્રમના એડવાન્સ બુકીંગ કર્યા હતા.

જે હોય એ… રૂપાણી કરી શક્યા એ ભૂપેન્દ્ર પટેન ન કરી શક્યા, જાણો વિદ્યાર્થીઓને શું ફટકો પડ્યો કે આવું બોલે છે

બેંકોના નિયમો, LPG-CNG, પેટ્રોલ-ડિઝલના ભાવ… કાલથી આટલા નિયમોમાં થશે મોટો ફેરફાર, તમારો ખિસ્સો ખાલી કરવા તૈયાર રહેજો

દુકાનનું ખાલી ભાડું 1 લાખ, બેડના 100-500 રૂપિયા, દરેક ગલીએ રેસ્ટોરન્ટ… ધીરેન્દ્ર શાસ્ત્રીનું બાગેશ્વર ધામ બની ગયું બિઝનેસ હબ

બુકીંગ પેટે એડવાન્સ રકમ પણ સ્વીકારી લીધી હતી જો રદ કરે તો જંગી આર્થિક નુસાન વેઠવું પડશે અને રકમ પરત કરવા માટે લાંબા સમયથી જેલવાસના કારણે આર્થિક રીતે સક્ષમ ન હોવાથી બુક કરેલા કાર્યક્રમ યોજવા માટે 25 દિવસના વચગાળાના જામીન મંજૂર કરવા અરજી ગુજારી હતી એ પણ નામંજુર થઈ હતી.

 


Share this Article
TAGGED:
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly