58 રાત જેલમાં અને 5 વખત જામીન અરજી… છતાં મર્દાનગીની વાત કરતો દેવાયત ખવડ જેલમાંથી છુટવામાં બિલકુલ નિષ્ફળ

Lok Patrika
By Lok Patrika
Share this Article

‘રાણો રાણાની રીતે’ ડોયલૉગ્સ બધા જ કાર્યક્રમમાં બોલનાર દેવાયત ખવડ ક્યારે જેલમાંથી બહાર આવશે એનું તો કંઈ નક્કી નથી, પરંતું અત્રે મોટી વાત એ છે કે, તે અત્યાર સુધી 58 રાત જેલમાં વિતાવી ચૂક્યો છે તેમજ પાંચ વખત જામીન માટે હવાતિયા પણ મારી ચૂક્યો છે. જો કે તેમ છતાં હજુ મેળ નથી પડ્યો અને જેલમાં જ છે. મયૂરસિંહ રાણા પર હુમલા કેસમાં સંડોવાયેલ લોકસાહિત્યકાર દેવાયત ખવડ જેલમાં છે એ વાતની બધાને ખબર છે અને જામીન માટેના હવાતિયા મારી રહ્યો છે એની પણ સૌને જાણ છે. ખવડ સેશન્સ કોર્ટથી લઈ હાઈકોર્ટના દ્વાર સુધી બધે જ જામીન માટે કાયદેસર વલખા મારી રહ્યો છે.

આજના દિવસ સુધીની વાત કરીએ તો અત્યાર સુધી 58 રાત જેલમાં વિતાવી છે, એટલું જ નહીં સેશન્સ કોર્ટથી લઈ હાઈકોર્ટ સુધી કુલ પાંચ વખત જામીન માટે વલખા માર્યા છે. 5 વખત ખવડની જામીન અરજીઓ રદ થઈ છે અને હજુ પણ મળે કે કેમ એમા શંકા છે. દેવાયત ખવડ ઉપરાંત બે સહ તહોમતદર સામેથી ધરપકડ કરવામાં આવી હતી.

રિમાન્ડની મુદ્દત પુરી થયે ત્રણેયનેકોર્ટના આદેશ મુજબ જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા. દેવાયત સહિત ત્રણેય ત્રણેય તહોમદારે ચાર્જશીટ પૂર્વે રેગ્યુલર જામીન અરજી કરી હતી જે શેસન્સ કોર્ટે ફગાવી દીધી હતી અને ત્યારબાદ હાઇકોર્ટમાં જામીન અરજી કરી હતી. ત્યાર બાદ હાઇકોર્ટમાં કરેલી જામીન અરજી પરત ખેંચી લીધી હતી. આ કેસમાં ચાર્જશીટ રજૂ થતા ત્રણેય આરોપીએ રેગ્યુલર જામીન માટે અરજી કરી કરી હતી જેમાં મુદત પડતા એડવોકેટ અજય કે. જોષી સ્તવન મહેતા મારફત જામીન મેળવવા અરજી કરી હતી.

આ પહેલા વચગાળાના જામીન માટે કરાયેલી અરજીમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે, પોતે લોકગાયક છે. બનાવ પૂર્વે તેમણે ગોંડલના એક પ્રસંગ સહિત અન્ય કેટલાક લગ્ન પ્રસંગોમાં તેમજ શિવરાત્રી પર્વના કાર્યક્રમના એડવાન્સ બુકીંગ કર્યા હતા. બુકીંગ પેટે એડવાન્સ રકમ પણ સ્વીકારી લીધી હતી જો રદ કરે તો જંગી આર્થિક નુસાન વેઠવું પડશે અને રકમ પરત કરવા માટે લાંબા સમયથી જેલવાસના કારણે આર્થિક રીતે સક્ષમ ન હોવાથી બુક કરેલા કાર્યક્રમ યોજવા માટે 25 દિવસના વચગાળાના જામીન મંજૂર કરવા અરજી ગુજારી છે.

કડકડતી ઠંડી બાદ હવે ચામડી દઝાડતી ગરમી માટે તૈયાર થઈ જાઓ, અંબાલાલ પટેલે કરી નાખી મોટી આગાહી

4500 કરોડનો આલિશાન મહેલ, 400 રૂમ, સોનાના વાસણોમાં ભોજન, ચાંદીની ટ્રેન પીરસે, શાહી ઠાઠ સાથે જીવે છે ભારતનો આ રાજકારણી

બાપો બાપો: રાજકોટનો વીરો ઈંગ્લેન્ડથી રૂપ-રૂપના અંબાર લાડી લાવ્યો, બન્ને પરિવારની હાજરીમાં ભવ્યાતિભવ્ય સગાઈ થઈ

ત્યારે અદાલતે વચગાળાના જામીન માટેની થયેલી અરજી અંગે આ કેસના તપાસ અધિકારી પાસે પોલીસ અભિપ્રાય માગ્યો છે. જો બધું બરાબર હશે તો જામીન આપવામાં આવશે. જો કે એમાં પણ દેવાયતને ખાલી હાથે જ પાછુ ફરવાનો વારો આવ્યો હતો. આ પહેલાં દેવાયત ખવડના બે દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા. 19મી ડિસેમ્બરે ખવડ સહિત ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા હતા. જ્યાં પોલીસે વધુ રિમાન્ડની માંગણી નહીં કરતાં ત્રણેય આરોપીઓને જેલ હવાલે કરાયા હતા.

 

 

 


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly