Ahmedabad News: સાળંગપુર ખાતે આવેલા હનુમાનજી મંદિરમાં ભીંતચિત્રોને લઈ આજે કેટલાય દિવસથી વિવાદ ચાલી રહ્યો છે. જો કે ગઈકાલે 2 દિવસમાં ચિત્રો હટાવી લેવાશે એવી બાંહેધારી પણ આપવામાં આવી છે. ત્યારે આજે સ્વામિનારાયણના સંતોની ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે પણ મહત્વની બેઠક યોજવાની છે અને આ બાબતે ચર્ચા વિચારણા કરી સુખદ અંત આવે એવા પ્રયત્નો હાથ ધરાયા છે.
વિવાદ કંઈક એવો છે કે સાળંગપુરમાં હનુમાનજીની વિશાળ કિંગ્સ ઓફ સાળંગપુર પ્રતિમા લગાવવામાં આવી છે. આ પ્રતિમાની નીચે કેટલાક ભીંતચિત્રો લગાવાયા છે. જેમાં હનુમાનજીને સ્વામિનારાયણના સંતોના દાસ સ્વરુપે પ્રસ્તૃત કરવામાં આવ્યા છે. જેને લઇને છેલ્લા થોડાક દિવસથી વિવાદ ચાલી રહ્યો છે. સતત વકરી રહેલા વિવાદમાં હવે સરકારે હસ્તક્ષેપ કરવાની ફરજ પડી છે.
તહેવાર માથે આવ્યા અને સોના ચાંદીના ભાવમાં તોતિંગ વધારો, ખરીદનાર જાણી લો એક તોલોના કેટલા હજાર છે
ઉલ્લેખનીય છે કે સનાતન ધર્મના સાધુ-સંતો ભીંતચિત્રો હટાવવાની માગ કરી રહ્યાં છે. ગઇકાલે સાળંગપુર મંદિરના તંત્ર દ્વારા સંત સમિતિની રચના કરવામાં આવી છે. તો બીજી તરફ આવતીકાલે લીંબડીમાં સનાતન ધર્મના સંતોનું આ મામલે સંમેલન થવાનું છે. આ બધાની વચ્ચે આજે સાંજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે સ્વામિનારાયણ સંતોની બેઠકના સમાચાર ભારે ચર્ચાઈ રહ્યા છે.