Prabha Atre: મ્યુઝિક ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા એક દુખદ સમાચાર છે. પીઢ ગાયિકા પ્રભા અત્રેનું આજે સવારે નિધન થયું છે. તેમણે 92 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. હૃદયરોગના હુમલાને કારણે તેમનું મૃત્યુ થયું હતું.
હાર્ટ એટેક આવ્યા બાદ તેમને પુણેની દીનાનાથ મંગેશકર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું.
પ્રભા અત્રે આજે ‘સ્વરપ્રભા’ કાર્યક્રમમાં ગાવા માટે પુણેથી મુંબઈ જઈ રહી હતી. મુંબઈમાં તેમની ગાયકીનું આયોજન કરવામાં આવ્યું હતું. 92 વર્ષની ઉંમરે પણ તે ગીત ગાતી હતી અને જાહેર કાર્યક્રમોમાં હાજરી આપતી હતી.
જાણો કોણ હતા પ્રભા અત્રે?
પ્રભા અત્રેનો જન્મ પુણેમાં થયો હતો. આઠ વર્ષની ઉંમરે તેઓ શાસ્ત્રીય ગાયન તરફ વળ્યા. સંગીતનો અભ્યાસ કરતી વખતે તેણે વિજ્ઞાન અને કાયદામાં ડિગ્રીઓ પૂર્ણ કરી. બાદમાં તેમણે સંગીતમાં ડોક્ટરેટ કર્યું.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ્એ પણ કિરાણા ઘરાનાનું પ્રતિનિધિત્વ કરતી આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ગાયીકા પ્રભા અત્રેને યાદ કર્યા હતા.
President Kovind presents Padma Vibhushan to Dr Prabha Atre for Art. An internationally renowned vocalist representing the Kirana gharana, she has excelled as a brilliant thinker, academician, author, composer, researcher and reformer. pic.twitter.com/VZnRJkCzVP
— President of India (@rashtrapatibhvn) March 28, 2022
પ્રભા અત્રે પ્રતિભાશાળી ગાયિકા, સંગીતકાર, લેખક, પ્રોફેસર અને હાસ્ય કલાકાર તરીકે જાણીતા હતા. ગાવાની સાથે, તેમણે ઠુમરી, દાદરા, ગઝલ, શાસ્ત્રીય સંગીત, નાટ્ય સંગીત, ભજન અને ભાવનાત્મક ગાયનમાં પણ નિપુણતા મેળવી હતી. તેમને ભારતીય શાસ્ત્રીય સંગીતનો ઊંડો અભ્યાસ હતો.
ક્રિકેટના મેદાનમાં સતત 3 સિક્સર ફટકારીને… આ એક શરત પર લગ્ન માટે તૈયાર થઇ હતી શર્મિલા ટાગોર
પીઢ ગાયિકા પ્રભા અત્રેના નામે 11 પુસ્તકો પ્રકાશિત કરવાનો વર્લ્ડ રેકોર્ડ છે. તેમણે નવી દિલ્હીમાં હિન્દી અને અંગ્રેજીમાં સંગીત પરના 11 પુસ્તકો પ્રકાશિત કર્યા. પ્રભા અત્રે હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતની અગ્રણી ગાયિકાઓમાંની એક હતી.