આજે વહેલી સવારે ભયંકર એક્સિડન્ટની ઘટના વડોદરા-પાદરા રોડથી સામે આવી છે. અહીના નારાયણ વાડી પાસે રિક્ષા અને કાર વચ્ચે જોરદાર ટ્ક્કર થઈ હતી. આ અકસ્માતમાં 5 લોકોનાં મોત થયાં હોવાના સમાચાર છે. મળતી માહિતી મુજબ રિક્ષામાં સવાર 5 સભ્ય એક જ પરિવારના હતા જેમા 3 બાળક અને પતિ-પત્ની હતા. મોતના સમાચાર મળતા જ સમગ્ર પંથકમા શોકનો માહોલ છે.
રિક્ષા અને કાર વચ્ચે જોરદાર ટ્ક્કર
અકસ્માત એટલો ગંભીર હતો કે ઘટનાસ્થળે જ 3 લોકોનાં મોત નીપજ્યા હતા જ્યારે અન્ય 2ને તરત જ હોસ્પિટલ ખસેડવામા આવ્યા હતા પણ હોસ્પિટલમાં સારવાર દરમિયાન એકનુ મોત થયુ છે.
મૃતદેહોને સયાજી હોસ્પિટલ ખસેડવામા આવ્યા
ઘટનાની જાણ થતા પોલીસ તરત જ ઘટનાસ્થળે પહોંચી હતી. હાલ આ પરિવારના મૃતદેહોને સયાજી હોસ્પિટલ ખસેડવામા આવ્યા છે.
પરિવાર રિક્ષામાં લગ્નપ્રસંગે જઈ રહ્યો હતો
મળતી માહિતી મુજબ આ પરિવાર પાદરાના લોલા ગામનો છે. તેઓ રિક્ષામાં લગ્નપ્રસંગે જઈ રહ્યો હતો. આ દરમિયાન વડોદરાથી પાદરા જતા સમયે કાર અને રિક્ષા અથડાય ગયા.
ઘટના મૃતયુ પામેલા લોકોના નામ અરવિંદ પૂનમ નાયક (28 વર્ષ), કાજલ અરવિંદ નાયક (25 વર્ષ), શિવાની અલ્પેશ નાયક (12 વર્ષ), ગણેશ અરવિંદ નાયક (5 વર્ષ) છે. આ સિવાય હાલ આર્યન અરવિંદ નાયક (8 વર્ષ) ઇજાગ્રસ્ત બાળક સારવાર હેઠળ છે