Mumbai: દેશની આર્થિક રાજધાની મુંબઈમાં એક્સપ્રેસ ટ્રેનમાં ફાયરિંગના સમાચાર સામે આવ્યા છે. આ ફાયરિંગમાં એક પોલીસકર્મી સહિત ત્રણથી ચાર લોકોના મોતના સમાચાર છે. આ ટ્રેન રાજસ્થાનથી મુંબઈ સેન્ટ્રલ આવી રહી હતી. ફાયરિંગની આ ઘટના કેવી રીતે અને શા માટે બની? તેની તપાસ શરૂ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ આ ગોળીબાર સવારે લગભગ સાત વાગ્યાની આસપાસ થયો હતો. હાલમાં આ ટ્રેન મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન પર આવી ગઈ છે. ફાયરિંગની આ ઘટનામાં કેટલાક મુસાફરો ઘાયલ થયા હોવાનું પણ કહેવાય છે. આ ઘટનામાં એક પોલીસકર્મીને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. અટકાયત કરાયેલ પોલીસકર્મી આસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેક્ટરના રેન્ક પર પોસ્ટેડ છે. આ કેસમાં ચેતન નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
જયપુર એક્સપ્રેસ ટ્રેનમાં સવારે 5 વાગ્યે ભીષણ ગોળીબાર થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આ ફાયરિંગમાં અનેક રાઉન્ડ ગોળી ચલાવવામાં આવી છે. ટ્રેનના B5 ડબ્બામાં ફાયરિંગ શરૂ થઈ ગયું છે. આ ઘટનામાં 4 લોકોના મોત અને કેટલાક ઘાયલ થયાના સમાચાર છે. હાલ આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
મોંઘાદાટ સફરજન નદીમાં ફેંકવામાં આવી રહ્યા છે… વીડિયો શેર કરી BJPએ રાહુલ ગાંધી પર આકરો પ્રહાર કર્યો
પ્રેમની વાતો વચ્ચે આવ્યા મોટા સમાચાર, સીમા હૈદર પ્રેગ્નેન્ટ છે, શું પાંચમા બાળકને સ્વીકારશે સચિનનો પરિવાર?
પૂરના કારણે 2 ભારતીય યુવકો તણાઈને પાકિસ્તાન પહોંચી ગયા, PAK રેન્જર્સે આપી દીધી માહિતી, જાણો હવે શું થશે
મહારાષ્ટ્રના પાલઘરથી મોટા સમાચાર આવી રહ્યા છે. જયપુર મુંબઈ પેસેન્જર ટ્રેનમાં ફાયરિંગમાં ચાર લોકોના મોત થયા છે. આ ટ્રેન ગુજરાતથી મુંબઈ આવી રહી હતી. મૃતકોમાં RPF ASI સહિત 3 મુસાફરો છે. આરપીએફના કોન્સ્ટેબલ ચેતને તમામને ગોળી મારી દીધી છે. ફાયરિંગની આ ઘટના વાપીથી બોરીવલીમીરા રોડ સ્ટેશન વચ્ચે બની હતી. જીઆરપી મુંબઈના જવાનોએ ગઈકાલે મીરા રોડ બોરીવલી વચ્ચે કોન્સ્ટેબલને કસ્ટડીમાં લીધો હતો.