ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ખેલાડી વિરાટ કોહલીએ થોડા દિવસો પહેલા પૂરા થયેલા એશિયા કપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 5 મેચમાં કુલ 276 રન બનાવ્યા અને તે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર બીજા ક્રમે હતો. વિરાટે એશિયા કપમાં અફઘાનિસ્તાન સામે તેની પ્રથમ ટી20 આંતરરાષ્ટ્રીય સદી ફટકારી હતી. આ મેચમાં તે કેપ્ટન રોહિત શર્માની ગેરહાજરીમાં ઓપનિંગ કરવા આવ્યો હતો. મેચ બાદ ઘણા દિગ્ગજોએ વિરાટ કોહલીને આગામી ટી20 મેચોમાં ઓપનિંગ કરવાની સલાહ આપી હતી, પરંતુ આ દરમિયાન પૂર્વ ભારતીય વિકેટકીપર ગૌતમ ગંભીરે પણ વિરાટના બેટિંગ ઓર્ડરને લઈને એક મોટી વાત કહી છે.
ગૌતમ ગંભીરે વાત કરતા કહ્યું, “વિરાટ વિશે બકવાસ શરૂ ન કરો. તે કેએલ રાહુલ અને રોહિત શર્માની હાજરીમાં ઓપનિંગ નહીં કરી શકે. કોમેન્ટ્રી કરતી વખતે પણ મેં તેના વિશે કહ્યું હતું કે તેના પર કોઈ ચર્ચા થવી જોઈએ નહીં. ગંભીરે કહ્યું જો સલામી બેટ્સમેન 10 ઓવર બેટિંગ કરે છે તો સૂર્યકુમાર યાદવ ત્રીજા નંબરે આવવો જોઈએ. જો વિકેટ વહેલી પડી જાય તો વિરાટ કોહલીએ આવવું જોઈએ.
આ ચર્ચા દરમિયાન ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ઓપનર મેથ્યુ હેડન પણ સામેલ હતા, જેમણે કોહલીને નંબર પર રમવા માટે કહ્યું હતું. તમને જણાવી દઈએ કે વિરાટ કોહલી જ્યારે ટી20 મેચમાં ઓપનિંગ કરવા આવે છે ત્યારે તેની એવરેજ 57ની આસપાસ અને સ્ટ્રાઈક રેટ 160ની આસપાસ હોય છે. કોહલીએ ભારત માટે 9 ટી-20 મેચમાં ઓપનિંગ કરી છે અને 400 રન બનાવ્યા છે. થોડા દિવસ પહેલા પૂર્વ ક્રિકેટર રોહન ગાવસ્કરે વિરાટ કોહલીને ઓપનિંગ કરવાની સલાહ આપી હતી.