ઓડિશા પોલીસની તકેદારી શાખાએ સરકારી અધિકારીના ઘરે દરોડા પાડીને ત્રણ કરોડ રૂપિયાથી વધુની રોકડ જપ્ત કરી છે. અધિકારીઓએ શુક્રવારે જણાવ્યું કે વિજિલન્સ બ્રાન્ચે ઓડિશા એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (OAS) અધિકારી પ્રશાંત કુમાર રાઉતના ભુવનેશ્વરના નિવાસસ્થાન અને અન્ય સ્થળોએ દરોડા દરમિયાન મોટી માત્રામાં રોકડ જપ્ત કરી છે. રાઉત નબરંગપુર જિલ્લામાં ડેપ્યુટી કલેક્ટર તરીકે તૈનાત છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, જ્યારે વિજિલન્સ બ્રાન્ચના અધિકારીઓ કનાન વિહારમાં આરોપી અધિકારીના ઘરે પહોંચ્યા, ત્યારે તેની પત્નીએ પડોશીના ટેરેસ પર રોકડ ભરેલા છ કાર્ટન ફેંકી દીધા અને પૈસા છુપાવવા કહ્યું. તમામ કાર્ટન પાછળથી પડોશીના ઘરમાંથી મળી આવ્યા હતા અને રોકડ ગણવા માટે અનેક ગણના મશીનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, એમ તેમણે ઉમેર્યું હતું. અધિકારીઓના જણાવ્યા અનુસાર, રાઉતના નબરંગપુરના ઘરેથી 89.5 લાખ રૂપિયા રોકડા અને સોનાના દાગીના મળી આવ્યા છે.
શું છે સમગ્ર મામલો?
તકેદારી વિભાગ દ્વારા જારી કરાયેલા એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “રાજ્યમાં સરકારી અધિકારી પાસેથી આ બીજો સૌથી વધુ રોકડ વસૂલાતનો કેસ છે. એપ્રિલ 2022માં, અમે કાર્તિકેશ્વર રાઉલની મિલકતો પર દરોડા દરમિયાન રૂ. 3.41 કરોડ રોકડ રિકવર કર્યા હતા. તે ગંજમ જિલ્લામાં નાની સિંચાઈ વિભાગમાં સહાયક ઈજનેર તરીકે પોસ્ટેડ હતો.” રાઉતની 2018 માં પંચાયતના એક્ઝિક્યુટિવ ઓફિસર પાસેથી એક લાખ રૂપિયાની લાંચ લેવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. તે સમયે તેઓ સુંદરગઢ જિલ્લામાં BDO (બ્લોક ડેવલપમેન્ટ ઓફિસર)ના પદ પર કામ કરતા હતા.
આ પણ વાંચોઃ
યુપીમાં ભાજપને ‘મોદી મિત્ર મુસ્લિમ’ની કેમ જરૂર છે? રાજકારણનો ‘ર’ સમજવો પણ જનતા માટે ભારી પડી ગયો
રંગીલા રાજકોટમાં ગુજરાતની ઈજ્જતના ધજાગરા, ખુલ્લામાં સરબતની જેમ દારૂની મહેફિલ, પોલીસની આબરૂ ધૂળધાણી
500ની નોટોના છ કાર્ટન મળી આવ્યા હતા
વિજિલન્સ વિભાગની ટીમે નબરંગપુરમાં પ્રશાંત રાઉતના ઘરેથી 89 લાખ રૂપિયાથી વધુની રોકડ અને સોનાના ઘરેણા પણ જપ્ત કર્યા છે. તકેદારી વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે અમે પ્રશાંતના ઘરેથી રૂ. 500ની નોટોના છ કાર્ટન જપ્ત કર્યા છે. આ નોટો તાજેતરમાં પ્રશાંતને 2000ની નોટોના બદલામાં મળી હતી. અધિકારીએ કહ્યું કે અત્યાર સુધીમાં પ્રશાંતના ઘરેથી 2 કરોડ રૂપિયા રોકડા મળ્યા છે પરંતુ તેના અન્ય ઘરોમાંથી પણ પૈસા મળી શકે છે. તેમણે કહ્યું કે પ્રશાંત રાઉત વિરુદ્ધ કાર્યવાહી ચાલી રહી છે અને લગભગ 9 ટીમો આ કાર્યવાહીમાં લાગેલી છે.