ધોરણ 9થી ૧૨ના વિદ્યાર્થીઓ માટે ભુપેન્દ્ર સરકારનો સૌથી મોટો નિર્યણ, દર વર્ષે આપશે આટલી સ્કોલરશીપ, જાણો મોટા સમાચાર

Lok Patrika Desk
By Lok Patrika Desk
cm
Share this Article

રાજ્ય સરકારે વિદ્યાર્થીઓના હિતમાં વધુ એક મહત્વનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકાર દ્વારા એક નવી સ્કોલરશિપ યોજના જાહેર કરવામાં આવી છે. જે જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના છે આ યોજનાનો લાભ લેવા માટે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવી પડશે અને વિદ્યાર્થીઓને મેરીટના આધારે સ્કોલરશીપ અપાશે.

cm

તેજસ્વી વિદ્યાર્થીઓને સ્કોલરશીપ અપાશે

આ યોજનામાં સમાવેશ થતા તેજસ્વી વિદ્યાર્થીઓને દર વર્ષે 25,000 રૂપિયાની સ્કોલરશીપ આપવામાં આવશે તેમજ ધો. 9 થી 10 સુધીના અભ્યાસ દરમિયાન વાર્ષિક રૂપિયા 20,000 મળશે અને ધો. 11 થી 12 સુધીના અભ્યાસક્રમ દરમિયાન વાર્ષિક 25000ની સ્કોલરશીપ અપાશે. સ્કોલરશીપની રકમ DBTના માધ્યમથી સીધી બેંક ખાતામાં જમા કરવામાં આવશે તેમજ ધો. 1થી 8માં સરકારી અથવા અનુદાનિત શાળામાં સળંગ અભ્યાસ કરવો હોવો જરૂરી છે.

cm

રાજ્ય સરકારનો પરિપત્ર

રાજ્ય સરકારે પરિપપત્રમાં જણાવ્યું છે કે, ધો. 1થી 8માં સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં સળંગ અભ્યાસ કરી ધો.8નો અભ્યાસ પૂર્ણ કરેલો હોય તેમજ બાળકોનો મફત અને ફરજીયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ, (RTE Act, 2009) અને તે હેઠળ રચાયેલા બાળકોનો મફત અને ફરજીયાત શિક્ષણનો અધિકાર નિયમો, 2012 અન્વયે 6થી 14 વર્ષના નબળા વર્ગોના અને વંચિત જૂથના બાળકોને સ્વનિર્ભર શાળાઓમાં વર્ગની સંખ્યાના 25 ટકાની મર્યાદામાં મફત શિક્ષણની જોગવાઇ હેઠળ સ્વનિર્ભ૨ શાળાઓમાં ધો.1માં પ્રવેશ મેળવીને ધો.8 સુધીનો સળંગ અભ્યાસ પૂર્ણ કરેલો હોય તેમજ તેવા બંને પ્રકારના વિદ્યાર્થીઓના વાલીની આવક જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા વખતે RTE એક્ટ, 2009ની કલમ 12 (1) (સી) હેઠળ પ્રવેશ માટે નિયત થયેલા આવક મર્યાદા કરતા ઓછી હોય તેવા વિદ્યાર્થીઓ પૈકી તેજસ્વી વિધાર્થીઓને મેરિટના ધોરણે રાજ્યમાં કાર્ય૨ત તમામ બોર્ડ સાથે સંલગ્ન રાજ્ય સરકાર દ્વારા નિયત ધારાધોરણ મુજબ પસંદ થયેલા સ્વનિર્ભર શાળાઓ પૈકીની માધ્યમિક શાળાઓમાં ધોરણ 9માં પ્રવેશ મેળવી ધોરણ 12 સુધીનું શિક્ષણ પ્રાપ્ત કરી શકે, તે માટે ગુજરાત રાજ્યના આવા તેજસ્વી વિદ્યાર્થીઓને કોલરશીપ આપવામાં આવશે.

cm

 

જ્ઞાન સાધના સ્કૉલરશીપ યોજનાના ફાયદા

દર વર્ષે નવા 25,000 તેજસ્વી વિદ્યાર્થીઓને પસંદ કરીને તેમને ધોરણ-9 થી 10 સુધીના અભ્યાસ દરમ્યાન વાર્ષિક રૂપિયા 20,000 અને ધોરણ-11થી 12 સુધીના અભ્યાસ દરમિયાન વર્ષિક રૂપિયા 25,000ની સ્કોલરશીપ આપવામાં આવશે.

cm


Share this Article