Gujarat News : નવેમ્બર મહિનો શરૂ થઈ ગયો છે. રાજ્યમાં બેવડું વાતાવરણ જોવા મળી રહ્યું છે. રાત્રે ઠંડી અને દિવસ દરમિયાન ગરમીનો અહેસાસ થાય છે. મિશ્ર હવામાનને કારણે રોગચાળાએ પણ માથું ઉંચક્યું છે. હવે ક્યારે ઠંડી પડશે? આ અંગે ચર્ચા થઇ રહી છે ત્યારે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતો શું આગાહી કરી રહ્યા છે તે પણ જાણવું જરૂરી છે.
હળવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે પહાડોમાં હવામાનની પેટર્ન બદલાવાની છે. તેના કારણે ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરના ઊંચાઈવાળા વિસ્તારોમાં હળવો વરસાદ કે બરફવર્ષા થવાની શક્યતા છે. તેની અસર મેદાનોમાં સ્પષ્ટ દેખાશે. ખાસ કરીને દિલ્હી-એનસીઆરના વિસ્તારોમાં ઠંડી ઝડપથી વધશે. ભારતીય હવામાન વિભાગ (આઇએમડી)એ જણાવ્યું હતું કે, આ અઠવાડિયે દિલ્હી-એનસીઆરમાં લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની સંભાવના છે.
ગુજરાતમાં હવામાન કેવું રહેશે અને ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષાની સંભાવના છે તો ક્યારે ઠંડુ થશે? તે જાણવું પણ જરૂરી છે. ખાસ કરીને નવેમ્બરના પ્રથમ સપ્તાહની વાત કરીએ તો આ સાત દિવસ દરમિયાન ગુજરાતનું વાતાવરણ સૂકુ રહેવાની શક્યતા છે. ત્યારે હવામાન વિભાગે ગુજરાતના કોઇ પણ જિલ્લામાં વરસાદની આગાહી કરી નથી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મહત્તમ તાપમાન 36 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે.
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર નવેમ્બર મહિનામાં વહેલી ઠંડી પડવાની શક્યતા રહેશે. કારણ કે, એક પછી એક વિક્ષેપો આવતા જ રહેશે. 3થી 8 નવેમ્બર સુધી જોરદાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ રહેશે. આ કારણે હિમાચલ, જમ્મુ-કાશ્મીર, રાજસ્થાન, ગુજરાતના કેટલાક ભાગોમાં હળવા વરસાદની સંભાવના છે. તેમની આગાહી મુજબ 7 નવેમ્બરે બંગાળની ખાડીમાં ચક્રવાત સર્જાશે.
મંગળસૂત્ર ક્યારે ના પહેરવું જોઈએ? દરેક મહિલાએ આ વાત જાણવી જ જોઈએ, અયોધ્યાના જ્યોતિષે કહી મોટી વાત
ધનતેરસના દિવસે ઘરના ચાર ખૂણામાં રાખો આ એક વસ્તુ, આખું વર્ષ એટલું કમાશો કે ધનવાન બની જશો!
આ ઉપરાંત હવામાન શાસ્ત્રી પરેશ ગોસ્વામીએ પોતાની યુટ્યુબ ચેનલ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં 5 નવેમ્બર સુધી કરા પડશે કે કેમ અને ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગે માહિતી આપવામાં આવી હતી. “5 નવેમ્બર સુધી માવતાની કોઈ સંભાવના નથી. અરબી સમુદ્ર કે બંગાળની ખાડીમાં નજીકના ભવિષ્યમાં કોઈ ચક્રવાત સર્જાય તેવી શક્યતા નથી. જેના કારણે ગુજરાત પર વરસાદનો ખતરો નથી. વળી, ઉત્તર ભારતમાં કોઈ મોટી અસ્થિરતા નથી.