Gujarat News: ચોમાસાની વિદાય અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યુ હતુ કે, ચોમાસાના વિદાયની પ્રક્રિયા 25 સપ્ટેમ્બર પછી શરૂ થશે. જોકે, ચોમાસુ વિદાય લેવા છતાં પણ છૂટોછવાયો વરસાદ રાજ્યમાં વરસી શકે છે. ત્યારે હવે પાંચ દિવસ ગુજરાતભરમાં કેવું વાતાવરણ રહેશે અને ક્યાં ક્યાં વરસાદ થશે તે અંગેનું હવામાન વિભાગે નવી આગાહી કરી છે જે દરેક ગુજરાતીએ જાણવી જોઈએ.
આગાહી પ્રમાણે આખા ગુજરાતમાં વરસાદ થવાની સંભાવના નથી. એકાદ જગ્યાએ છૂટોછવાયો વરસાદ થઇ શકે છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠે પણ કેટલીક જગ્યાઓ પર સામાન્ય વરસાદ થવાની શક્યતા છે. જ્યારે કચ્છમાં વાદળછાયું વાતાવરણ રહેશે પરંતુ વરસાદ થવાની શક્યતા નથી.
તો વળી હવામાન વિભાગે એમ પણ કહ્યું કે સાઉથ વેસ્ટ રાજસ્થાનથી વરસાદના વિદાયની શરૂઆત થઇ ગઇ છે. વધુ વિડ્રોઅલ માટે પણ પરિસ્થિતિ યોગ્ય છે. આ સાથે તેમણે એમ પણ જણાવ્યુ કે, આવતી કાલથી રાજ્યમાં વરસાદ ઓછો થવાની શક્યતા છે અને પાંચમા દિવસથી ગુજરાત ડ્રાય થઇ શકે છે.
રામ મંદિર પર ભયંકર ભૂકંપની પણ અસર નહીં થાય, આ ખાસ ટેક્નોલોજીથી તમને 24 કલાક પહેલા જ બધી ખબર પડી જશે
અમદાવાદમાં સામાન્ય 34થી 36 તાપમાન રહેવાની શક્યતા છે. આ સાથે અમદાવાદમાં ભારે વરસાદની શકયતા નહિવત્ છે. અમદાવાદમાં છુટા છવાયો વરસાદ થઈ શકે છે.