છેલ્લા 3 દિવસથી ઈસ્કોન બ્રિજ અકસ્માત ખુબ જ ચર્ચામાં છે. 9 લોકોના માત મામલે આ પહેલાં પણ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, તથ્ય પટેલ મિત્રો સાથે ગાડી લઈને નીકળ્યો હતો. તેણે ઇસ્કોન બ્રિજ પર લોકોની મદદ કરી રહેલા પોલીસ જવાન સહિત અનેક લોકો પર ગાડી ફેરવી દીધી.
આ અકસ્માતમાં 9 જેટલા લોકો મૃત્યુ પામ્યા, જેમાં અનેક યુવાનો પણ અને બે અમારા પોલીસના જવાનો મૃત્યુ પામ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, આ કેસની CP, JCP, 3 DCP, અને 5 PI તપાસ કરશે. ત્યારે આજે ફરીથી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે.
ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું કે પોલીસ આ ઘટનામાં કડકથી કડક કાર્યવાહી જરૂરથી કરશે. પોલીસના ઘરમાં પણ દિકરાઓ છે, આમાં રાજ્યના ઘણા પરિવારે પોતાના દિકરા ગુમાવ્યા છે. આ બાબતે આરોપીઓને કોઈપણ પ્રકારની છૂટછાટ આપવામાં આવશે નહીં. રાજ્ય સરકાર આ ઘટનાને લઈ ખૂબ જ ગંભીર છે. હું સ્પષ્ટ શબ્દોમાં કહું છું કે આ કેસ અમારા માટે નોર્મલ કેસ નથી, આ કેસ અમારા માટે મોસ્ટ ઈમ્પોર્ટન્ટ મોસ્ટ સિરિયસ કેસ છે.
અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર બુધવારે રાત્રે સર્જાયેલા ગોઝારા અકસ્માતને લઈ હાલમાં પણ આખા રાજ્યમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. નવ નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હોવાની વાત લોકો ભૂલી નથી શકતા.
સોના ચાંદીના ભાવમાં ઘટાડો, સસ્તા થતાં જ લોકોમાં ખુશીનો માહોલ, જાણો હવે એક તોલાના કેટલા હજાર આપવાના
ખરેખર તો 200 રૂપિયે કિલો ટામેટા એ ઘણા સસ્તા કહેવાય, જાણો શું કહે છે સરકારી આંકડા? તમારું મગજ ફરી જશે
180 દિવસ, 146 બાળકો, આ સરકારી હોસ્પિટલ કેમ બની રહી છે માસૂમોનું મોતનો કાળ? જાણો અજીબ કારણ
મૃતકોના પરિવારજનોની આંખોના આંસુ સુકાતા નથી. આ કપરી ઘડીએ તેઓ દુ:ખની આફત સામે વિચારમગ્ન થઈ અને સતત દીકરાનું વિલાપ કરી રહ્યાં છે. મૃતકોના પરિવારજનો ન્યાયની માંગ કરી રહ્યા છે. ત્યારે જોવાનું રહ્યું કે આગામી સમયમાં કઈ રીતે આ ગુનેગારને સજા મળે છે અને પરિવારને ન્યાય મળે છે કે કેમ?