તલાટીની પરીક્ષાને લઇ હસમુખ પટેલે મોટું નિવેદન આપ્યું છે. હસમુખ પટેલે વાત કરી કે જો પુરતા પરીક્ષા કેન્દ્રો મળશે તો જ પરીક્ષા લેવાશે. જો કેન્દ્રો નહીં મળે તો પરીક્ષા લેવામાં નહીં આવે. કારણ કે હાલમાં કેટલીક કોલેજો હજુ પણ બિલ્ડીંગ માટે રાજી થઈ નથી. તેથી જો આપણી પાસે પુરતા કેન્દ્રો હશે તો જ પરીક્ષા લઈ શકાશે.
મંડળ તલાટીની પરીક્ષા 30 એપ્રિલે લેવા કટિબદ્ધ છે, પૂરતા કેન્દ્ર મળે તે માટે પ્રયત્નશીલ છે. કેન્દ્રો ઉપલબ્ધ થતા વિધિવત તારીખની જાહેરાત કરવામાં આવશે.
— Hasmukh Patel (@Hasmukhpatelips) March 23, 2023
હસમુખ પટેલે ટ્વિટ કરીને કહ્યું હતું કે- મંડળ તલાટીની પરીક્ષા 30 એપ્રિલે લેવા કટિબદ્ધ છે, પૂરતા કેન્દ્ર મળે તે માટે પ્રયત્નશીલ છે. કેન્દ્રો ઉપલબ્ધ થતા વિધિવત તારીખની જાહેરાત કરવામાં આવશે.
23 એપ્રિલના રોજ અખાત્રીજનો તહેવાર હોઈ ઉમેદવારોને વાહન વ્યવહારની મુશ્કેલી ન પડે તે હેતુથી તલાટીની પરીક્ષા 30 એપ્રિલના રોજ લેવા માટે જિલ્લાઓમાંથી કેન્દ્રોની ઉપલબ્ધતાની માહિતી મંગાવવામાં આવેલ છે.
— Hasmukh Patel (@Hasmukhpatelips) March 6, 2023
આ પહેલા પણ એક ટ્વિટ કરવામાં આવી હતી કે, 23 એપ્રિલના રોજ અખાત્રીજનો તહેવાર હોઈ ઉમેદવારોને વાહન વ્યવહારની મુશ્કેલી ન પડે તે હેતુથી તલાટીની પરીક્ષા 30 એપ્રિલના રોજ લેવા માટે જિલ્લાઓમાંથી કેન્દ્રોની ઉપલબ્ધતાની માહિતી મંગાવવામાં આવેલ છે.
ગુજરાત તલાટી અભ્યાસક્રમ 2022
તલાટી પરીક્ષા 2022 માટેનો અભ્યાસક્રમ અહીં આપવામાં આવ્યો છે, તમે OMR આધારિત પરીક્ષા સાથે તમારા પેપર્સ પૂર્ણ કરવા માટેના પ્રશ્નોની કુલ સંખ્યા, કુલ સંખ્યા અથવા ગુણ અને કુલ સમય ચકાસી શકો છો. તમારે અહીં આપેલા મર્યાદિત સમય ગાળામાં તમારી પરીક્ષા પૂર્ણ કરવાની રહેશે.
પ્રશ્નની કુલ સંખ્યા – 100
પરીક્ષાનો કુલ સમય – 1 કલાક.
કુલ ગુણ – 100
વિષય મુજબનું વજન
(1) સામાન્ય જાગૃતિ અને સામાન્ય જ્ઞાન* – 50 ગુણ
(2) ગુજરાત ભાષા અને વ્યાકરણ- 20 ગુણ
(3)અંગ્રેજી ભાષા અને વ્યાકરણ – 20 ગુણ
(4) સામાન્ય ગણિત. – 10 માર્ક્સ શોર્ટકોડ