દિયોદરમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ધારાસભ્યની હાજરીમાં ખેડૂત આગેવાન પર હુમલો થયાની ઘટના સામે આવી છે. કેશાજી ચૌહાણની અધ્યક્ષતામાં યીજાયેલ ભુજલ યોજનાનો કાર્યક્રમ હતો અને એમાં ખેડૂત આગેવાન અમરા ભાઈ પટેલ પર mla ના સમર્થકોએ હુમલો કર્યો છે.
ખેડૂત આગેવાન સાથે બોલાચાલી કરી બે લાફા ઝીકીં લેતા ચકચાર મચી હતી. ખેડૂતની સમસ્યાની રજુઆત કરતા મામલો ગરમાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. ખેડૂત આગેવાન અમરા ભાઈ અગાઉ વીજ પુરવઠા મામલે લડત ચલાવી ચુક્યા છે. ખેડૂત આગેવાન અને ખેડૂતો સમગ્ર મામલે દિયોદર પોલીસ મથકે પહોંચ્યા હતા.
મુકેશ અંબાણી 28 ઓગસ્ટે કરશે સૌથી મોટું એલાન, શેર માર્કેટને લઈ મોટા સમાચાર માટે થઈ જાઓ તૈયાર
શિસ્તની વાત કરતી ભાજપના જ કાર્યકરો ભાજપની વાતને ભૂલી ગયા હોય એવા દ્રશ્યો સર્જાયા હતા. સમગ્ર મામલો દિયોદર ધારાસભ્યમી સામે છતાં નેતાજી ચૂપ જ છે.