હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ સુધી વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે પરંતુ પાછલા અઠવાડિયે અને ગઈકાલે જે રીતે વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો તેમાં આજે તથા આગામી દિવસોમાં ઘટાડો થશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. કેટલીક જગ્યાઓ પર ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.
આજે હવામાન વિભાગની વેબસાઈટ દ્વારા સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે તે મુજબ રાજ્યના આણંદ, બનાસકાંઠા, પંચમહાલ, સાબરકાંઠા, આણંદ, વડોદરા, ભરૂચ અને સુરતના તથા સૌરાષ્ટ્ર-કચ્છના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને કચ્છમાં વરસાદ થવાની આગાહી છે. આજે પણ કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે.
ડૉક્ટર મનોરમા મોહંતીએ સોમવારે કરેલી આગાહીમાં રાજ્યમાં સામાન્યથી હળવા વરસાદની સાથે કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. આ સાથે તેમણે કેટલાક ભાગોમાં હવાનો જોર પણ વધુ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. 40 કિલોમીટરની ગતિ સાથે પવન ફૂંકાવાની સંભાવના થંડરસ્ટ્રોમ એક્ટિવિટી દરમિયાન વ્યક્ત કરવામાં આવી છે.
3 અને 4 તારીખે અરવલ્લી, સાબરકાંઠા, વડોદરા, ભરૂચ, ભાવનગર, ગીર સોમનાથ, રાજકોટ, અમરેલી, ભાવનગર, જામનગરમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આ દરમિયાન હળવા વરસાદની સાથે ક્યાંક થંડરસ્ટ્રોમ એક્ટિવિટી રહેવાની પણ આગાહી છે.
તારીખ 5મી મેના રોજ પણ અરવલ્લી, સાબરકાંઠા, વડોદરા અને ભરૂચ તથા સૌરાષ્ટ્ર-કચ્છના અમરેલી, ભાવનગર અને રાજકોટમાં વરસાદ થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાન વિભાગે આ તારીખે પણ હળવા વરસાદ સાથે થંડરસ્ટ્રોમ એક્ટિવિટી રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી છે.