આઝાદી યાદ કરો: આખું ભારત આઝાદ થઈ ગયું પણ જૂનાગઢ 15 ઓગસ્ટે આઝાદ નોહ્તું થયું, રહસ્યો જાણવા જેવા છે

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Independence Day 2023 : 9 નવેમ્બર જૂનાગઢનો (junagadh) સ્વતંત્રતા દિવસ છે, અને જૂનાગઢની આઝાદીનો ઈતિહાસ (History of Independence of Junagadh) પણ ખૂબ જ રસપ્રદ છે. જૂનાગઢને આઝાદ કરવા માટે આરજી સરકારની સ્થાપના કરવામાં આવી હતી. દેશની આઝાદીના અઢી મહિના પછી જૂનાગઢ આઝાદ થયું અને સ્વતંત્ર ભારતનું પ્રથમ મતદાન પણ જૂનાગઢની આઝાદીના ત્રણ મહિના પછી થયું. જૂનાગઢ શહેરની આઝાદીની યાદ અપાવતા સ્મારકો આજે પણ મોજૂદ છે પરંતુ આઝાદીના સ્મારકો પ્રત્યે તંત્રની ઉદાસીનતા પણ જોવા મળે છે. આ અંગે જૂનાગઢના પૂર્વ ધારાસભ્યએ અનેકવાર રજૂઆત કરી છે અને તેનો હકારાત્મક પ્રતિભાવ મળ્યો છે.

જ્યારે ભારત આઝાદ થયું ત્યારે ત્યાં 562 રજવાડા હતા. 15મી ઓગસ્ટ એ ભારતનો સ્વતંત્રતા દિવસ છે પરંતુ પાંચ મહિના પહેલા ભારતને સ્વતંત્ર બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ઈંગ્લેન્ડની સંસદે (Parliament of England) ભારતીય સ્વતંત્રતા અધિનિયમ પસાર કર્યો, જે મુજબ ભારતના તમામ રજવાડાઓને ભારત કે પાકિસ્તાન સાથે જોડાવાનું નક્કી કરવાનો આદેશ આપવામાં આવ્યો. જેમાં ભારતના ત્રણ રાજ્યોએ અનોખો ઈતિહાસ રચ્યો હતો. કાશ્મીર, હૈદરાબાદ અને જૂનાગઢ…

 

જૂનાગઢ પર તે સમયે નવાબ મહોબતખાનજી ત્રીજાનું શાસન હતું, જૂનાગઢના નવાબ મહોબતખાનજી પ્રજા વત્સલશાહી હતા પરંતુ કેટલાક કારણોસર તેમણે દીવાન શાહનવાઝ ભુટ્ટો, ભોપાલ બેગમ અને ઈસ્માઈલ અબ્રેહાનીના દબાણ હેઠળ જૂનાગઢને પાકિસ્તાન સાથે જોડી દીધું હતું.

 

 

બીજી તરફ, ભારત સરકાર પણ જૂનાગઢના પાકિસ્તાન સાથેના સંબંધને લઈને ચિંતિત હતી, જે ભૌગોલિક દૃષ્ટિએ પણ શક્ય નહોતું. દેશ આઝાદ થયો પણ જૂનાગઢ ન હતું, જૂનાગઢની આઝાદી માટે 24 સપ્ટેમ્બર 1947ના રોજ મુંબઈના માધવબાગમાં આરજી હકુમતની સ્થાપના થઈ, કનૈયાલાલ મુનશીએ પોતાનો ઢંઢેરો તૈયાર કર્યો, ત્રણ મોરચે લડવાનું નક્કી કર્યું, પ્રચાર મોરચો, લશ્કરી મોરચો અને આર્થિક મોરચો…

આર.જી.સરકારના લશ્કરી મોરચાની વાત કરીએ તો 222 ગોરખા સૈનિકો, નવાબની પોલીસે મુક્ત કરેલા 30 પોલીસ જવાનો, સુભાષબાબુના આઝાદ હિન્દ ફૌજના 6 સૈનિકો વગેરે ત્રણથી સાડા ત્રણ હજારની જાહેર ફોજ બનાવવા તૈયાર થયા હતા, જેમનું લક્ષ્ય હતું જૂનાગઢની આઝાદી હતી.

 

આરજી હકુમતને ગાંધીજીના આશીર્વાદ મળ્યા અને શામળદાસ ગાંધીએ આગેવાની લીધી, સૌરાષ્ટ્ર મેલમાં તેઓ રાજકોટ આવ્યા અને રાજકોટ આવ્યા અને તત્કાલિન જૂનાગઢ જિલ્લો જે હવે રાજકોટનું સર્કિટ હાઉસ છે તેના પર કબજો કર્યો, ત્યારબાદ 24 ઓક્ટોબર 1947ના રોજ અમરપુર ગામ જીતી લીધું અને પછી નવાબ પાકિસ્તાન ચાલ્યા ગયા.

 

મોંઘાદાટ સોનાનું તો ચિત્ર જ બદલાઈ ગયું, સોનું 2700 રૂપિયા સસ્તું તો ચાંદીના ભાવમાં 4700 રૂપિયાનો ઘટાડો આવ્યો

કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ હદ વટાવી દીધી, શરમજનક નિવેદન આપતા કહ્યું- ભાજપને મત આપે એ બધા રાક્ષસ….

મેઘરાજાએ તબાહી સર્જી, 24 કલાકમાં જ હિમાચલમાં 21 મોત, શાળા-કોલેજો બંધ, હાઈવે બંધ, જ્યાં જુઓ ત્યાં મોતનું જ જોખમ!

 

જેથી જૂનાગઢના દીવાન શાહનવાઝ ભુટ્ટો નવાબને પૂછે છે કે, હવે અમારે કયાં રસ્તે જવું જેથી નવાબ દીવાન કહે છે કે, હવે તમે ભારતનું શરણ સ્વીકારી લ્યો. ત્યારબાદ તારીખ 8 નવેમ્બર 1947ના રોજ નાયબ દીવાન અને મીલેટરીના અધિકારી કેપ્ટન હારવેન જોન્સને ભારતમાં મળવાનો પત્ર લખી દીધો હતો. જેથી કેપ્ટન રાજકોટ જઈ પ્રાદેશિક કમિશનર નીલમભાઈ બુચ પાસે જઈ શરણાગતિ સ્વીકારે છે. અને 9 નવેમ્બરે ભારત સરકારનું લશ્કર જૂનાગઢમાં પ્રવેશ્યું અને એક-એક શેરીએ આટા મારી લોકોને સાંત્વના આપી કે હવે કોઈ ચિંતા કરતા નહીં તમારો વાળ પણ વાંકો નહીં થાય હવે જૂનાગઢ પાકિસ્તાનમાં નહીં ભળે પરંતુ ભારતનું અવિભાજ્ય અંગ થઈ ગયું છે.

 

 

 

 


Share this Article