આજે અલગ અલગ રાજ્ય અને અલગ અલગ જિલ્લાઓમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આજે દેડિયાપાડા ખાતે આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને જેમાં રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ સહિત મહાનુભાવોને દેશી દારુ પૂજા માટે આપવામાં આવ્યો હતો. પરંતુ કંઈક એવો સીન થયો કે લોકો જોતા રહીલ ગયા. કૃષિમંત્રી રાઘવજી પટેલ આદિવાસી રીતરિવાજથી અજાણ હોઈ ભૂલમાં આ દારુનો પડીયો ચરણામૃત સમજી મોઢે માંડી ઘટઘટાવી ગયા હતા.
જો કે આ સમગ્ર ઘટના બન્યા બાદ બાજુમાં ઉભેલા માજી વન મંત્રી મોતીસિંહ વસાવાએ મંત્રીને કહ્યું કે આ તો ધરતીમાતાને અર્પણ કરવાનું છે ત્યારે મંત્રી રાઘવજી પટેલને પોતાની ભૂલ સમજાય ગઈ. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે અને લોકો રાઘવજીભાઈની મજ્જા લઈ રહ્યા છે.
આજે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીની પૂજામાં દેશી દારુથી ધરતીમાતાને અભિષેક કરવાની પરંપરા વર્ષોથી આદિજાતિ વિસ્તાર ચાલતી આવે છે. આ દરમિયાન મંત્રી રાઘવજી પટેલથી એક ભૂલ થઈ ગઈ હતી. જેની ચર્ચામાં હાલમાં ખુબ થઈ રહી છે. આ અંગે રાઘવજી પટેલે મીડિયા સમક્ષ પણ કહ્યું હતું કે, મને અહીંની પરંપરાઓ વિશે વધુ જ્ઞાન નથી. અહીની વિધિઓ અને રિવાજોથી હું અજાણ છું.
વરસાદને લઈ હવામાન વિભાગ અને અંબાલાલની અલગ-અલગ આગાહી, શું કહેવું ગુજરાતમાં મેઘરાજા ખાબકશે કે કેમ?
આ રાશિવાળા લોકોને માત્ર 8 દિવસમાં મળશે બમ્પર પૈસા, રાજભંગ રાજયોગ બખ્ખાં જ બખ્ખાં કરાવી દેશે!
આગળ વાત કરતાં રાઘવજી પટેલે કહ્યું કે- પહેલી વખત હું અહીંયા આવ્યો છું. અમારે ત્યાં ચરણામૃતરુપે હાથમાં આપતા હોય છે. એટલે મેં ચરણામૃત ચાખ્યું. પરંતુ એ હકીકતમાં ધરતીમાં અર્પણ કરવાનું હતું. મારા ખ્યાલ બહારની આ વાત હતી એટલે આવું થયું.