Breaking: અંબાજી મંદિર ઘી ભેળસેળ કેસના આરોપીએ કર્યો આપઘાત, અમદાવાદમાં નિલકંઠ ટ્રેડર્સના માલિકના સુસાઈડથી ચારેકોર હાહાકાર

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

નિલકંઠ ટ્રેડર્સના માલિક જતિન શાહએ નારોલના રહેણાંક મકાનમાં જ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે, તેઓ અંબાજી પ્રસાદના ઘીમાં ભેળસેળ કેસમાં આરોપી હતા. અમદાવાદમાં નિલકંઠ ટ્રેડર્સના માલિક જતિન શાહએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. તેમણે નારોલમાં રહેણાંક મકાનમાં જ આપઘાત કર્યો છે.

જતિન શાહ અંબાજી પ્રસાદના ઘીમાં ભેળસેળ કેસમાં આરોપી હતા. જતિન શાહની પેઢીમાંથી ડુપ્લીકેટ ઘી મોકલાયું હતું. અત્રે જણાવીએ કે, અંબાજી પ્રસાદ મામલે જતિન શાહની પોલીસે ધરપકડ કરી હતી. અંબાજી પોલીસે અમદાવાદ પહોંચી 3 ડબા ઘી જપ્ત કર્યું હતું. આ સિવાય અમદાવાદ મ્યુનિસિપલ ફૂડ વિભાગની ટીમે પણ નીલકંઠ ટ્રેડર્સ ખાતે દરોડા પાડ્યા હતા અને ઘીના સેમ્પલ પણ લીધા હતા.

જતિન શાહના આપઘાત પાછળનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. પોલીસના પ્રાથમિક અનુમાન મુજબ વેપાર ધંધાના કારણે તેણે આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે. જે સમગ્ર ઘટનાને પગલે પોલીસે તપાસ હાથ ધરી છે.

જાણો, નકલી ઘીનો મામલો

Telangana: રેવંત રેડ્ડી “બુલડોઝર”ના મુડમાં, મુખ્યમંત્રીની સીટ પર બેસતા જ યોગીનું સ્વરૂપ કર્યું ધારણ.. 

Telangana: રેવંત રેડ્ડીએ મુખ્યમંત્રી પદના લીધા શપથ, ભટ્ટી વિક્રમાર્ક બન્યા ડેપ્યુટી સીએમ

ચાઈનાના વાયરસથી દિલ્હી AIIMSમા હડકંપ, એપ્રિલથી ઓક્ટોબર વચ્ચે 7 કેસ પોઝિટિવ, જાણો શું છે સરકારની એડવાઈઝરી?

શક્તિપીઠ અંબાજી ખાતે તા.23 થી 29 સપ્ટેમ્બર 2023 દરમિયાન ભાદરવી પૂનમનો મહામેળો આયોજિત થયો હતો. જેમાં લાખોની સંખ્યામાં આવતા શ્રદ્ધાળુઓને ગુણવત્તાયુક્ત મોહનથાળનો પ્રસાદ મળી રહે એ માટે આયોજન કરાયેલ હતું. આ મેળા દરમિયાન પ્રસાદની માંગને પહોંચી વળવા એજન્સી દ્વારા મોટા પ્રમાણમાં ઘીનો જથ્થો સ્ટોક કરવામાં આવ્યો હતો. જે ઘીના સમ્પેલ ફેઈલ થતાં હવે સમગ્ર મામલો ઉઘાડો પડ્યો હતો. જેની તપાસના ખુલ્યું હતું કે, નિલકંઠ ટ્રેડર્સએ એજેન્સીને નકલી ઘીમાં પધરાવ્યું હતું. જે કેસમાં જતિન શાહ પર કાર્યવાહી ચાલી રહી હતી.


Share this Article