વાવાઝોડાના કારણે હાલમાં આખા ગુજરાતમાં ઘમાસાણ મચી ગયું છે. ત્યારે ભારતના 11 મોટા બંદરમાંથી એક કંડલા અને મુન્દ્રાને પણ ખાલી કરાવી નાખ્યા છે. જે બંદર પર રાત દિવસ કામ શરૂ રહેતું હતું, એકદમ ધમધમતા હતા આજે એ જ બંદરો પર સન્નાટો છવાઈ ગયો છે. મુદ્રા પોર્ટ અને કંડલા પોર્ટમાં કોઈ જ જાનહાની ન થાય એ માટે હાલમાં ત્યાં કોઈને કામ કરવાની કે જવાની પણ બિલકુલ મનાઈ ફરમાવવામાં આવી છે.
આ પહેલાં જ્યારે વાવાઝોડું આવ્યું ત્યારે જે તબાહી મચી ગઈ એવી તબાહી આ વખતે ના મચે અને ખાસ કરીને લોકોના જીવને કોઈ ખતરો ન રહે એ માટે આવા આગમચેતી પગલાં લેવામાં આવી રહ્યા છે. તો આ તરક ગાંધીધામ તેમજ કચ્છની આજૂબાજુના 10 ગામો બંધનું એલાન કરી દેવામાં આવ્યું છે. કારણ કે કચ્છ પર વાવાઝોડાનો મોટો ખતરો છે અને જેમાં કોઈ જ રિસ્ક લેવા જેવું નથી. સરકાર અને આપણી સેના પણ સતત 2 દિવસથી એલર્ટ છે. આજે સાંજે વાવાઝોડું ટકરાઈ એવી શંકા છે.
હાલમાં કચ્છની આજુબાજુના 10 ગામોમાં બધી જ બજાર બંધ છે. લોકોને ઘરની બહાર ન નીકળવાની સુચના આપી દેવામાં આવી છે. આ સાથે જ વાત કરીએ તો વાવાઝોડાની અસર માંડવીમાં દેખાવા લાગી છે. આ વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે.
આ પણ વાંચો
કૂદરતના ખજાને શું ખોટ પડી? પરિવાર સુતો હતો અને ઘરમાં આગ ભભૂકી, 5 બાળકો સહિત 6 બળીને ખાખ થઈ ગયાં
આજે સાંજ સુધીમાં દ્વારકામાં વાવાઝોડું ત્રાટકે તેવી શક્યતા છે. દરિયાકાંઠાના વિસ્તારમાં જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે. દ્વારકામાં વાવાઝોડાને કારણે ભારે વરસાદની સંભાવના છે. મુંબઈના મરીન ડ્રાઈવ પર સવારે 10.29 વાગ્યે હાઈટાઈડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. લોકોને કિનારાથી દૂર રહેવા માટે કહેવામાં આવ્યું છે.