અમદાવાદ શહેરમાં પરિણીતા ગુમ થવાના મામલે શંકા રાખી એક યુવકનું અપહરણ કરનાર ત્રણ આરોપીની પોલીસે દાહોદથી ધરપકડ કરી છે. પોલીસે મહિલાના પતિ સહિત ત્રણની ધરપકડ કરી યુવકનો છૂટકારો કરાવ્યો છે. સાથે જ માત્ર શંકાના કારણે અપહરણ કરવામાં આવ્યું હતું કે અન્ય કોઈ કારણ જવાબદાર છે? તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.
નરોડા વિસ્તારમાંથી કર્યુ હતુ અપહરણ
અમદાવાદ શહેરની નરોડા પોલીસની કસ્ટડીમાં આવેલા ત્રણ આરોપીના નામ મિથુન ગણાવા તેનો ભાઈ કાજુ ગણાવા અને તેનો મિત્ર માજુભાઈ કટારા છે. પોલીસે આ ત્રણેય આરોપીઓને અપહરણના ગુનામાં ધરપકડ કરી છે. આ ગુનાના મુખ્ય આરોપી મિથુન ગણાવાની પત્ની 26 ફેબ્રુઆરીના રોજ ઘર છોડી ભાગી ગઈ હતી. જે ન મળી આવતા પતિ મિથુનને આ ગુનામાં ભોગ બનનાર ભરત ઝાલા પર શંકા હતી. જેથી 21 જુલાઈના રોજ ભરત ઝાલાનું નરોડા વિસ્તારમાંથી અપહરણ કરી દાહોદ લઈ ગયા હતા. જ્યાંથી પોલીસે ભોગ બનનારનો છૂટકારો કરાવી આરોપીઓની ધરપકડ કરી હતી.
વૈજ્ઞાનિકો પણ નથી ઉકેલી શક્યા આ મંદિરનું રહસ્ય, આ મંદિર 1000 વર્ષથી પાયા વગર ઊભું છે.
2025 સુધી આ 3 રાશિઓ હવામાં જ ઉડશે, એટલા પૈસા કમાશે કે ઘરમાં જગ્યા નહીં રહે, જાણો કેમ??
નવરાત્રીમાં બે દિવસ તેઓ ઘર છોડી ભાગ્યા હતા
નરોડા પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી પૂછપરછ કરતાં હકીકત સામે આવી કે, મુખ્ય આરોપી મિથુનની પત્ની વર્ષા અને ભરત ઝાલા નર્સરીમાં સાથે કામ કરતા હતા. સાથે જ નવરાત્રી દરમિયાન બે દિવસ તેઓ સાથે ઘર છોડી ભાગી ગયા હતા. જેથી આ વખતે પણ વર્ષા ભરત સાથે ભાગી ગઈ હોવાની શંકા રાખી ભરતનું નરોડાથી રિક્ષામાં અપહરણ કરી, એસટી ગીતામંદિર લઈ જવાયો, ત્યાંથી બસમાં ડાકોર અને પછી ગરબાળા લઈ જવામાં આવ્યો હતો. જોકે, પોલીસને ભરત ઝાલાના મોબાઇલના લોકેશનના આધારે સ્થાનિક પોલીસ અને લોકોની મદદથી છોડાવી લેવામાં આવ્યો અને આ ગુનાના આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે, પોલીસે અપહરણના ગુનામાં બે ભાઈઓ અને મિત્રની ધરપકડ કરી છે. પરંતુ આરોપી મિથુનને તેની પત્નીની કોઈ ભાળ મળી નથી. જેથી પોલીસે હવે આરોપીની પત્નીની શોધખોળ માટે પ્રયાસો શરૂ કર્યા છે.