Ahmedabad News: અમદાવાદ શહેરનાં લાલા દરવાજા એએમટીએસ બસ સ્ટોપની કાયાપલટ કરવામાં આવી છે. ત્યારે નવીન બનેલ બસ સ્ટોને હેરિટેજ થીમ પર નવીનીકરણ કરવામાં આવ્યું છે. હેરિટેજ સીટી અમદાવાદનું હેરિટેજ બસ સ્ટોપનું લોકાર્પણ ૫ જૂનનાં રોજ મુખ્યમંત્રીનાં હસ્તે કરવામાં આવશે. લાલ દરવાજા બસ સ્ટોપ અમદાવાદીઓ માટે ટ્રાન્સપોટેશનનું મોટું હબ છે. ત્યારે બસ સ્ટેન્ડની અંદર અમદાવાદના તમામ સ્થળોએ હેરિટેજ સ્થળોની પ્રતિકૃતિ મુકવામાં આવી છે.
એએમટીએસ નો ઈતિહાસ જાેઈએ તો આઝાદીનાં ચાર મહિનાં પહેલા બસ સેવા શરૂ થઈ હતી. ત્યારે ૬૦ બસ સાથે એએમટીએસ બસ સેવા શરૂ કરાઈ હતી. ત્યારે હાલ ૭૦૦ ઉપર બસની સંખ્યા પહોંચી ગઈ છે. હાલ એએમટીએસ એ શહેરની જીવાદોરી ગણાય છે. સમયની સાથે સાથે સુવિધામાં પણ ધીમે ધીમે એએમટીએસ અને એએમસી દ્વારા સુવિધામાં વધારો થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
આ બાબતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં સ્ટેન્ડીંગ કમિટીનાં ચેરમેન હિતેષ બારોટે જણાવ્યું હતું કે, અમદાવાદમાં લાલ બસ શરૂ થઈ ત્યારથી તે લાલ દરવાજાની ઓળખ હતી. લાલ દરવાજાનું બસ સ્ટેન્ડ રિનોવેશન કરવામાં આવ્યું છે. હેરિટેજ થીમથી ઉપરનાં માળે ઓફિસો તેમજ નીચે બસ સ્ટોપ બનાવવમાં આવ્યું છે. આશરે ૧૦ કરોડનાં ખર્ચે આ બસ સ્ટોપ તૈયાર કરવામાં આવ્યું છે. આગામી ૫ તારીખે મુખ્યમંત્રીના હસ્તે બસ સ્ટેન્ડનું લોકાર્પણ હાથ ધરવામાં આવશે.
સારા સમાચાર: MS ધોનીને અચાનક હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી, જાણો ફિટ થવામાં કેટલો સમય લાગશે?
અમદાવાદને હેરિટેજ સીટીનો દરજ્જો મળેલ છે. જેને ધ્યાને લઈ આખું બસ સ્ટેન્ડે હેરિટેજ થીમથી બનાવવામાં આવ્યું છે. તેમજ અમદાવાદની મોટા ભાગની બસો ત્યાંથી પસાર થાય છે.