Politics News: ભારત રત્ન લાલકૃષ્ણ અડવાણી બીમાર છે. તેમને રાત્રે દિલ્હી AIIMSમાં દાખલ કરવામાં આવ્યા છે. ડૉક્ટરોની એક વિશેષ ટીમ 96 વર્ષીય ભાજપના દિગ્ગજ નેતાની સારવાર કરી રહી છે. દેશના પૂર્વ વડાપ્રધાનની તબિયત વિશે એઈમ્સ દ્વારા સવારે 4 વાગ્યે માહિતી આપવામાં આવી હતી. AIIMSના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીને AIIMSમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની હાલત સ્થિર છે અને તેઓ નિરીક્ષણ હેઠળ છે.
હોસ્પિટલે આનાથી વધુ કોઈ માહિતી આપી નથી. કેટલાક અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે અડવાણીને મોડી રાત્રે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને હોસ્પિટલના જેરીયાટ્રીક વિભાગના નિષ્ણાંતની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. દિગ્ગજ નેતાઓ વય સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે.
વાસ્તવમાં અડવાણીની તબિયત સમય-સમય પર ઘરે તપાસવામાં આવતી હતી, પરંતુ જ્યારે થોડા કલાકો પહેલા તેમની તબિયત બગડી તો તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
આ વર્ષે 30 માર્ચે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા અડવાણીને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
1927માં કરાચીમાં જન્મેલા અડવાણી 1942માં સ્વયંસેવક તરીકે સંઘમાં જોડાયા હતા. તેઓ 1986 થી 1990, પછી 1993 થી 98 અને 2004 થી 2005 સુધી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા. તેઓ દેશના ગૃહમંત્રી અને અટલ સરકારમાં નાયબ વડાપ્રધાન પણ હતા. 2009ની લોકસભા ચૂંટણીમાં ભાજપે તેમને પીએમ પદના ઉમેદવાર જાહેર કર્યા હતા.
જો હજુ પણ પાણી વધુ ઘટશે તો દેશમાં અશાંતિ ફેલાશે, વિકાસને લાગશે મોટી બ્રેક, નવા અહેવાલમાં ખતરનાક દાવો
‘હું સુર્પણખા છું, મેં મારા પિતાનું નાક કપાવ્યું’, સોનાક્ષી સિંહાએ કેમ કહી આવી વાત? જાણો આખો મામલો
જો ગૂગલ પર આટલી વસ્તુ સર્ચ કરશો તો પોલીસ ડંડે-ડંડે સ્વાગત કરશે! ખબર ના હોય તો જાણી લો
દેશમાં તેઓ રામમંદિર આંદોલનના નેતા તરીકે ઓળખાય છે. 1990ના દાયકામાં તેમના પ્રચારના કારણે દેશમાં ભારતીય જનતા પાર્ટીનો ગ્રાફ વધ્યો અને બહુ જલ્દી પાર્ટીના લોકસભા સાંસદોની સંખ્યા વધવા લાગી. આજે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થયું છે. 2014માં પહેલીવાર ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવી હતી. ભાજપે 2019માં પણ બહુમતીનું પુનરાવર્તન કર્યું.