India News : આજે 2000ની નોટ (2000 note) બદલવાની છેલ્લી તક છે. જો તમારી પાસે હજુ પણ 2000ની નોટ પડેલી છે તો તેને જલ્દી બદલી લો. ખરેખર, આ નોટો બદલવાની લંબાવેલી મુદત આજે પૂરી થાય છે. આરબીઆઈના જણાવ્યા અનુસાર, જો તમે આજે આ નોટોને એક્સચેન્જ નહીં કરો તો તે માત્ર એક કાગળનો ટુકડો બની જશે. સાથે જ તેમને બદલવા માટે તમારે મહેનત કરવી પડી શકે છે. ડેડલાઈન પૂરી થતા પહેલા આરબીઆઈ ગવર્નરે બંધ થયેલી 2000ની નોટ વિશે મોટી માહિતી શેર કરી છે. આવો જણાવીએ કે આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે શું કહ્યું…
7 દિવસ માટે તક મળી હતી.
બેંકોમાં 2000 રૂપિયાની નોટ બદલાવવા અને જમા કરાવવાની અંતિમ તારીખ 7 ઓક્ટોબર એટલે કે આજે છે. તે પહેલા આ ડેડલાઈન 30 સપ્ટેમ્બરે નક્કી કરવામાં આવી હતી. બાદમાં તેને વધારીને 7 ઓક્ટોબર કરવામાં આવી હતી. આવી સ્થિતિમાં, લોકોને, ખાસ કરીને એનઆરઆઈ લોકોને, આ નોટો બદલવા માટે એક વધારાનું અઠવાડિયું આપવામાં આવ્યું હતું.
7 ઓક્ટોબરથી, 2,000 રૂપિયાની નોટો બદલવાની મંજૂરી ફક્ત 19 આરબીઆઈ ઇશ્યૂ ઓફિસમાં જ આપવામાં આવશે. પ્રતિ ટ્રાન્ઝેક્શન વધુમાં વધુ 20,000 રૂપિયાની નોટની કેશ ડિપોઝિટ લિમિટ હશે. આરબીઆઈની 19 ઈશ્યૂ ઓફિસમાંથી કોઈ પણ એક પર વ્યક્તિઓ કે એકમો પોતાના ભારતીય બેંક ખાતાઓમાં કોઈ પણ રકમ જમા કરાવવા માટે 2000 રૂપિયાની નોટ જારી કરી શકે છે.
ગુજરાતમાં વાવાઝોડાની એન્ટ્રી અને આખા દેશમાં વરસાદને લઈ અંબાલાલે કરી ઘાતક આગાહી, જાણીને ધ્રુજી ઉઠશો!
તને કહી દઉં છું અંદર ના આવતો…. મની લોન્ડરિંગ કેસમાં ફસાયેલા રણબીર કપૂરને શેનો પાવર આવી ગયો?
આરબીઆઈ ગવર્નરે આપી માહિતી
આરબીઆઈના (RBI)ગવર્નર શક્તિકાંત દાસે 2000 રૂપિયાની નોટ વિશે મહત્વની જાણકારી આપી છે. તેમણે કહ્યું કે મે મહિનામાં જે 2000 રૂપિયાની 3.43 લાખ કરોડ રૂપિયાની નોટો પાછી આવી હતી તેમાંથી 87 ટકા બેંકોમાં જમા રકમના રૂપમાં આવી છે. તેમણે કહ્યું કે, 12,000 કરોડ રૂપિયાની 2,000 રૂપિયાની નોટ હજુ પણ બજારમાં છે અને બેન્કિંગ સિસ્ટમમાં પરત ફરી નથી. બેંકો પણ આ નોટોની રાહ જોઈ રહી છે. 12,000 કરોડ રૂપિયા ઓછા નથી.