તારું નખ્ખોદ જાય માવઠાં! ખેડૂતોને લાખો કરોડોનું નુકસાન, દવાખાનાઓમાં કીડીયારું ઉભરાયું, ચારેકોર રોગચાળો ફાટી નીકળ્યો

Lok Patrika Desk
By Lok Patrika Desk
Share this Article

ગુજરાતમાં અને આખા ભારતમાં છેલ્લા કેટલાક દિવસોથી કમોસમી વરસાદ પડી રહ્યો છે. ચોમાસુ હજુ ઘણા મહિનાઓ દૂર છે, પરંતુ માર્ચ મહિનામાં જ દિલ્હી સહિત ઉત્તર પ્રદેશ, પંજાબ, ગુજરાત અને હરિયાણામાં વરસાદે અચાનક એન્ટ્રી મારી છે. આ વરસાદને કારણે માર્ચ મહિનામાં હોળી બાદ ઉંચકાયેલો પારો પણ એકાએક નીચે આવી જતાં લોકો ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે. ખેડૂતોને લાખો કરોડોનું નુકસાન થયું છે.

જો કે હાલમાં જે માહોલ છે એમાં એવું પણ ધ્યાને આવ્યું છે કે ગરમીમાંથી આ રાહતને લઈને લોકો ખુશી વ્યક્ત કરી રહ્યા છે, પરંતુ ધ્યાનમાં રાખો કે, આ વરસાદ પછી મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. એપ્રિલ મહિનામાં કેટલીક બીમારીઓ ઝડપથી ફેલાઈ શકે છે. MCD દિલ્હીના પૂર્વ એડિશનલ MHO ડૉ. સતપાલ ન્યૂઝ18હિંદી સાથેની વાતચીતમાં કહે છે કે, 20 માર્ચથી દિલ્હી-NCR સહિત દેશના વિવિધ રાજ્યોમાં વરસાદ પડી રહ્યો છે. ઘણી જગ્યાએ કરા પણ પડ્યા છે. હોળી પછી લગભગ દર વર્ષે વરસાદ પડતો હતો, પરંતુ આ વખતે તે વધુ છે, અને મોડું થઈ રહ્યું છે. લોકો અત્યારે આ વરસાદને પસંદ કરી રહ્યા છે, પરંતુ એપ્રિલ મહિનામાં તે મોટી મુશ્કેલી સર્જી શકે છે.

જો એક જ શહેર માત્ર દિલ્હી-એનસીઆરમાં જ નહીં પરંતુ જે, વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે, ત્યાં મોટી સંખ્યામાં મચ્છરજન્ય રોગચાળો થવાની શક્યતા છે. ડૉ.સતપાલે પણ કહ્યું કે કે, આ વરસાદ પછી એવી સંભાવના છે કે, 1 એપ્રિલથી મચ્છરોની મોટી ફોજ આપણી આસપાસ હશે. લાર્વામાંથી મચ્છર બનવામાં લગભગ 10 દિવસનો સમય લાગે છે. જેટલું પાણી વધુ જમા થશે તેટલા મચ્છરોની ઉત્પત્તિ થશે. જો આ વરસાદના હિસાબે જોઈએ તો એપ્રિલની શરૂઆતમાં જ લોકોને મચ્છરોનો ભોગ બનવું પડશે. આ પછી મચ્છરજન્ય રોગોમાં ઝડપથી વધારો થશે.

માવઠાની આગાહી બાદ હવે હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે જણાવ્યુ છે કે, રોગચાળો વધી રહ્યો છે.  ધીમે ધીમે ગરમી વધશે. ગરમીના કારણે કફ અને વસંત ઋતુમાં વાયુ પ્રમાણ વધતું હોય છે. 18 માર્ચથી 20મી એપ્રિલ સ્વાસ્થય માટે દરેક લોકોએ ખાસ કાળજી રાખવી જોઈએ. કારણ કે કફ, શ્વાસની તકલીફના રોગોમાં વધારો થાય છે. જેના કારણે લોકોએ 21 માર્ચથી 20 એપ્રિલ સુધી સ્વાસ્થ્ય માટે વિશેષ કાળજી રાખવી જોઈએ એવું અંબાલાલે દરેક ગુજરાતીઓને સાવચેત કર્યા છે.

મુકેશને રોજ રાત્રે 1 વાગ્યે સુવાનુ, નીતા આ બે ભગવાનની મોટી ભક્ત, રવિવાર એટલે પરિવાર… જાણો અંબાણી પરિવારની અંદરની વાતો

મોંઘવારી મારી નાખશે: સોનાના ભાવમાં મોટો ભડકો, ચાંદીની વાત જ ના કરતાં, ભાવ જાણીને 440 વોલ્ટનો ઝાટકો લાગશે

હર્ષ સંઘવીનું સરપ્રાઈઝ ઓપરેશન, 17,00 પોલીસના કાફલા સાથે 17 જેલમાં એક સાથે દરોડા, કેદીઓ અને જેલર ફફડી ઉઠ્યા

આ ઋતુમાં એક વાત પાક્કી છે કે મચ્છર તો જન્મશે. તમારે ધ્યાનમાં રાખવું પડશે કે, ઘરોમાં મચ્છરોના પ્રવેશને કેવી રીતે રોકવો. તમારા ઘરના બનાવટી દરવાજાને બંધ રાખો. અથવા તે જગ્યાઓ બંધ કરો જ્યાંથી મચ્છર આવી શકે. તમારા ઘરની આજુબાજુની છત, બાલ્કની, ભરાયેલી ગટરોમાં પાણી જમા ન થવા દો. જ્યાં પણ પાણી એકઠું થાય છે, તે જગ્યાને સાફ કરો અને પાણી દૂર કરો. જ્યારે પણ તમે ઘરની બહાર જાવ ત્યારે હાફ સ્લીવના કપડા ન પહેરો.


Share this Article