ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના (UBT) એ દાવો કર્યો હતો કે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે ટૂંક સમયમાં પદ પરથી રાજીનામું આપશે. આ દાવો એવા સમયે કરવામાં આવ્યો છે જ્યારે વિવિધ રાજકીય અટકળો લગાવવામાં આવી રહી છે. શિવસેના (UBT)એ પાર્ટીના મુખપત્ર ‘સામના’ના સંપાદકીયમાં આ વાત કહી છે.
UBTએ લખ્યું, જ્યારે શિંદે જૂથ ખુરશી બચાવવાનો પ્રયાસ કરી રહ્યો છે, ત્યારે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની છાવણી તેમની સાથે મીઠી વાતો કરી રહી છે અને તેમની પીઠ પાછળ એક અલગ રમત રમી રહી છે. તંત્રી લેખમાં કહેવામાં આવ્યું છે કે, મુખ્યમંત્રી ચોક્કસ જશે. બાદમાં પત્રકારો સાથે વાત કરતા, શિવસેના (UBT) સાંસદ અને ‘સામના’ના એક્ઝિક્યુટિવ એડિટર સંજય રાઉતે કહ્યું કે મુખ્યમંત્રી શિંદે, જેઓ તેમના વતન સતારામાં ગયા છે, તેઓ તેમની રજા લંબાવી શકે છે.
સંજય રાઉતે બીજું શું કહ્યું?
સંજય રાઉતે કહ્યું કે શિંદેને લાગે છે કે તેઓ ગરીબોના ‘મસીહા’ છે પરંતુ તેઓ હેલિકોપ્ટર દ્વારા ત્રણ દિવસની રજા પર ગયા છે. દરમિયાન, શિવસેનાના પ્રવક્તા નરેશ મ્સ્કેએ કહ્યું છે કે મુખ્યમંત્રી રજા પર ગયા નથી, પરંતુ સત્તાવાર પ્રવાસ (સતારાના) પર છે. બીજી તરફ શિંદેએ પણ કહ્યું છે કે તેઓ રજા પર નથી. તેમણે કહ્યું કે રજા પર હોવાના તેમના દાવા ખોટા છે.
અગાઉ, સંજય રાઉતે દાવો કર્યો હતો કે એકનાથ શિંદેના નેતૃત્વવાળી મહારાષ્ટ્ર સરકારનું “ડેથ વોરંટ” જારી કરવામાં આવ્યું છે અને તે આગામી 15-20 દિવસમાં આવી જશે. જો કે, શાસક શિવસેના (શિંદેના નેતૃત્વમાં) એ રાઉતને ‘બનાવટી જ્યોતિષી’ ગણાવ્યા અને કહ્યું કે ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના (UBT) માં ઘણા નેતાઓ છે જેઓ આવી આગાહીઓ કરે છે.
ગુજરાતીઓ ચાર દિવસ બેફામ માવઠા માટે થઈ જાઓ તૈયાર, વીજળીના કડાકા-ભડાકા સાથે આ વિસ્તારમાં ખાબકશે મેઘો
રાઉતે દાવો કર્યો કે, વર્તમાન મુખ્યમંત્રી અને તેમના 40 ધારાસભ્યોની સરકાર 15-20 દિવસમાં પડી જશે. આ સરકારનું ‘ડેથ વોરંટ’ જારી કરવામાં આવ્યું છે. હવે એ નક્કી કરવાનું છે કે કોણ સહી કરશે. શિવસેના (UBT) નેતાએ અગાઉ પણ દાવો કર્યો હતો કે શિંદે સરકાર ફેબ્રુઆરીમાં પડી જશે.