India News: મિઝોરમના સાયરાંગમાં બુધવારે એક નિર્માણાધીન રેલ્વે પુલ તૂટી પડતાં ઓછામાં ઓછા 17 કામદારોનાં મોત થયાં હતાં અને અનેક લોકો ઘાયલ થયા હતા. આ ઘટના સવારે 10 વાગ્યાની આસપાસ આઈઝોલથી લગભગ 21 કિલોમીટર દૂર બની હતી, જ્યારે સ્થળ પર બાંધકામનું કામ ચાલી રહ્યું હતું.
ઘણા મજૂરો અત્યારે ફસાયા હોવાની આશંકા છે, કારણ કે ઘટના સમયે સ્થળ પર 35-40 થી વધુ લોકો હાજર હતા. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, કાટમાળમાંથી અત્યાર સુધીમાં 17 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે… અન્ય ઘણા લોકો હજુ પણ ગુમ છે.
જો PAN-આધાર લિંક નહીં હોય તો તમારો પગાર બેંક ખાતામાં જમા નહીં થાય! જલ્દી જાણી લો મહત્વપૂર્ણ માહિતી
આ અઠવાડિયામાં મેઘો ખાબકશે કે કેમ? ક્યાં કેવું વાતાવરણ રહેશે, જાણી લો નવી આગાહીમાં ચોંકાવનારી વાત
ઘટના પર શોક વ્યક્ત કરતા પીએમ નરેન્દ્ર મોદીએ મૃતકોના દરેક પરિવારને PMMRF તરફથી 2 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. ઘાયલોને રૂ.50,000ની જાહેરાત કરી છે. તે જ સમયે, મિઝોરમના મુખ્ય પ્રધાન જોરામથંગાએ અકસ્માતમાં લોકોના મૃત્યુ પર દુઃખ વ્યક્ત કર્યું અને કહ્યું કે બચાવ કાર્ય ચાલુ છે.