હાર્ટની જે નશો હોય તે તાળી પાડવાથી ખુલી જાય… હાર્ટ એટેક અટકાવવા માટે મોરારિ બાપુએ આપ્યું ચોંકાવનારું નિવેદન

Lok Patrika
By Lok Patrika
Share this Article

Gujarat News: ગુજરાતમાં નવરાત્રિમાં હાર્ટ એટેકના સૌથી વધારે કેસ સામે આવ્યા હતા અને ત્યારે આજે વડોદરામાં વધુ બે યુવાનોના હાર્ટ અટેકથી મોત થયાના કિસ્સા સામે આવ્યા છે. વાઘોડિયા રોડ વિસ્તારમાં રહેતા યુવાનનું ક્રિકેટ રમતા સમયે હાર્ટએટેકથી મોત થયું છે. તો હવે મોરારિ બાપુએ હાર્ટ એટેકને લઈ મોટું નિવેદન આપ્યું છે અને આખા ગામમાં આ નિવેદનની ચર્ચા થવા લાગી છે. મોરારિ બાપુએ રામકથામાં જણાવ્યુ કે, ‘તાળી પાડવાથી અંતરના પડદા ખોલજો એટલે ઓપરેશન વગર બધી નશો ખુલી જશે.’

બાપુએ રામકથામાં પોતાના નિવેદનમાં કહ્યું તે આપણાં ગામડામાં જ્યારે કોઇને એટેક આવતો ત્યારે કોઇને ખબર ન હોય કે, એટેક આવ્યો છે. તેઓ કહેતા કે છાતીના પાટિયા બેસી ગયા છે. ઘરના કોઇ અમૃતાંજન કે નીલગીરી ચોપડી દે નહીં તો એનું ફાળિયું લઇને થોડું ભઠ્ઠામાં શેકીને થોડો શેક કરી લે. આટલામાં તો આ ઠેકડો મારીને ઉભા થઇ જાય. આ એટેકની તો ખબર જ નહતી. ત્યારે હવે બાપુના આ નિવેદન વિશે આખા રાજ્યમાં ચર્ચાઓ થવા લાગી છે.

બાપુએ કહ્યું કે તાળી પાડવી એ એક શારીરિક વ્યાયામ છે અને તે પાડવાથી ફાયદો થાય છે. ગામડાના માણસો ઉલડી ઉલડીને તાળી પાડતા હતા એટલે એમને એટેક નહતા આવતા. જ્યારે શહેરના લોકોને શરમ આવે. તાળી પાડવાથી અંતરના પડદા ખોલજો એટલે ઓપરેશન વગર બધી નશો ખુલી જશે. હાર્ટની જે નશો હોય તે તાળી પાડવાથી ખુલી જાય. તાળી એ થેરાપી બની ગઇ છે.

ગુજરાતમાં નકલીપણું બેફામ વધ્યું: હવે સુરતમાંથી નકલી IPS ઝડપાયો, ચાર રસ્તા પર ઉભીને મેમો ફાડતો અને પછી…

નેપાળમાં જ અહીં 520 વર્ષમાં કોઈ મોટો ભૂકંપ આવ્યો જ નથી, આવશે ત્યારે બધું જ તબાહ કરી નાખશે એ નક્કી

Breaking: ઇઝરાયેલે ગાઝા સિટી પર કર્યો સૌથી ખતરનાક હુમલો, ગાઝા પટ્ટીને બે ભાગમાં ફાડી નાખી

બાપુએ વિગતે માહિતી આપતા કહ્યું કે, આ દેશના ઋષીઓએ વર્ષોથી તાળીને મહત્તવ આપ્યું છે. તાળી પાડવાથી રોગ ન થાય. એટલે જ તાળી પાડીને હરીનામ લેવું તે આરોગ્ય માટે પણ ઉપયોગી છે. ઉલ્લેખનીય છે કે હાલમાં જ ગુજરાતના ટોપ ડોક્ટરોએ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું હતું કે કોરોના રસી એ હાર્ટ એટેક માટે જવાબદાર નથી, પરંતુ આપણી આજની ઘાતક લાઈફ સ્ટાઈલના કારણે આવા કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly