મોરારિ બાપુ વિશે ધીરેન શાસ્ત્રી મોટા દાવા કરતો’તો, રાજકોટમાં બાપુને પૂછ્યું તો બાગેશ્વર બાબાનો ભાંડો ફૂટી ગયો, જાણો આખો મામલો

Lok Patrika
By Lok Patrika
Share this Article

આજ કાલ બાગેશ્વર ધામના શાસ્ત્ર ધીરેન શાસ્ત્રી ખુબ જ પ્રખ્યાત છે. ત્યારે હવે ધીરેન્દ્ર શાસ્ત્રી વિશે મોરારિ બાપુનું નિવેદન સામે આવતા લોકો વિચારમાં પડી ગયા છે. બાપુએ કહ્યુ હતુ કે, ‘મને બહુ પરિચય નથી.’બાપુનુ નિવેદન એટલે સામે આવ્યું કારણ કે 9 મહિના પહેલાં યોજાયેલી એક કથામાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ મોરારિ બાપુને યુગ તુલસી અને પ્રવર્તમાન તુલસી જેવા મહાન શબ્દો કહીને સંબોધિત કર્યા હતા.

અહીં બાપુના જે વખાણ કરવામાં આવી રહ્યા છે એ ત્યારની વાત છે કે કથામાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યુ હતુ કે, ‘ક્યારેક દિપક સૂર્યની સામે ફસાઈ જાય છે. તેમ આજે હું પણ ફસાયો છું. આજે ભારતમાં કોઈ યુગ તુલસી હોય તો તે બાપુ છે, પ્રવર્તમાન તુલસી હોય તો તે બાપુ છે. હું બાપુના તલગાજરડા પણ ગયો છું.’ આ વીડિયો પણ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને લોકો જોઈ રહ્યાં છે.

જો કે વાત આટલેથી જ પુરી થઈ જતી નથી. બુંદેલખંડમાં ચાલી રહેલી કથામાં મોરારિ બાપુને ધીરેન્દ્ર શાસ્ત્રીએ બાગેશ્વર ધામ હનુમાનજી મહારાજના દર્શન કરવા માટે આમંત્રણ આપ્યું હોવાની પણ ચર્ચા છે. ત્યારે પત્રકારોએ ધીરેન્દ્ર શાસ્ત્રી વિશે મોરારિ બાપુને સવાલ કર્યો તો બાપુએ કહ્યુ હતુ કે, ‘મને બહુ પરિચય નથી.’ ત્યારે હવે સવાલ થાય કે શું ધીરેન શાસ્ત્રી પોતાની રીતે જ બની-બનાવેલી વાતો નથી કરતો ને??

આ સાથે જ વાત કરીએ તો બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ ફરી એકવાર હિંદુ રાષ્ટ્રની માંગ ઉઠાવી. એટલું જ નહીં, તેમણે પ્રશ્ન પૂછ્યો કે જો હિન્દુસ્તાન હિન્દુ રાષ્ટ્ર નહીં કહેવાય તો શું બાંગ્લાદેશ હિન્દુ રાષ્ટ્ર કહેવાશે? ભારતમાં દરેક નાગરિક હિંદુ છે. હિન્દુસ્તાન એટલે હિન્દુઓનું સ્થાન. જ્યાં કોઈ દુશ્મનાવટ નથી. બાગેશ્વર ધામ ખાતે આયોજિત 7 દિવસીય ધાર્મિક કાર્યક્રમનું સોમવારે સમાપન થયું હતું. આ કાર્યક્રમમાં સીએમ શિવરાજ સિંહ ચૌહાણ, કોંગ્રેસ નેતા કમલનાથ સહિત ઘણા મોટા નેતાઓએ ભાગ લીધો હતો. એટલું જ નહીં દેશભરમાંથી મહાન ઋષિ-મુનિઓ અને કથાકારો પણ આ કાર્યક્રમમાં પહોંચ્યા હતા.

રામના નામે ટ્રેન ચાલે છે

ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કહ્યું, જો મુઘલોના નામે ટ્રેન દોડી શકતી હોય તો રામના નામે પણ ટ્રેન દોડાવવી જોઈએ, આ રામનો દેશ છે. ઘણા લોકો આપણી પ્રાચીન સનાતન સંસ્કૃતિને નિશાન બનાવે છે. તેની ટીકા કરે, અવગણના કરે છે. ભગવાનમાં ન માનવાનું વચન લેવડાવે છે. દેશની કમનસીબી છે કે વીર શિવાજી જેવા મહાન વ્યક્તિની તસવીર સાથે છેડછાડ કરવામાં આવી. આવા લોકો સામે કડક કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ જેથી તેઓ ક્યારેય આવી ભૂલ ન કરે.

ખાસ જાણવા જેવા સમાચાર: ડેબિટ કાર્ડ ઘરે ભૂલી ગયા તો કાર્ડ વગર પણ ATMમાંથી કાઢી શકો છો પૈસા, આ રહી રીત?

આ રાજ્યમાં પશુપાલકોને મોટો ફટકો, ગાય રાખવા આટલી કિંમત ચૂકવવી પડશે, કૂતરા-બિલાડી માટે પણ ભાવ નક્કી થયો

ખાલી 2 વર્ષમાં 400 વખત ભૂકંપ આવ્યો, ખાતા-પીતા-સુતા-જાગતા ધરતીકંપની જ બીક લાગે, ગુજરાતને લીધે ભારતમાં હાહાકાર

220 લોકોએ સનાતન ધર્મ અપનાવ્યો

બાગેશ્વર ધામ ખાતે ચાલી રહેલા ધાર્મિક કાર્યક્રમના અંતિમ દિવસે મોટી સંખ્યામાં લોકો ઘરે પરત ફર્યા હતા. ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ હજારો ભક્તોની હાજરીમાં 220 લોકોને ભગવો  પહેરાવીને સનાતન ધર્મમાં પાછા ફર્યા હતા. શાસ્ત્રી દાવો કરે છે કે લોકો પોતે પોતાની સ્વતંત્ર ઇચ્છાથી સનાતન ધર્મમાં પાછા ફર્યા છે. હિન્દુ જાગરણ મંચના લોકો આ લોકોને બાગેશ્વર ધામ લઈ ગયા હતા.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly